જામનગર તા.15
ગીતા વિદ્યાલયના અધિષ્ઠાતા બ્રહ્મલીન ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજની કાલે 23મી પુણ્યતિથિ નિમિત્તે કાશી વિશ્ર્વનાથ મંદિર પાસે ગીતા વિદ્યાલયમાં સાંજે 6 કલાકે બાલ વર્ગોના બાળકોને સ્કુલબેગ, ચોપડા, કંપાસ, લેચ બોકસનું વિતરણ કરવામાં આવશે.
મનહરલાલ મહારાજે આજથી 72 વર્ષ પહેલા જામનગર અને 59 વર્ષો પૂર્વે રાજકોટ ખાતે ગીતા વિદ્યાલયની સ્થાપના કરી હતી. તેમજ બાળકો દ્વારા ગીતા જયંતીની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો ત્યારબાદથી હજારો બાળકોને ભગવદ્ ગીતા, રામાયણ તથા સંસ્કૃત સ્ત્રોતોનું અધ્યયનનું જ્ઞાન પીરસવામાં આવે છે. તેઓના સાનિધ્યમાં રતનપર રામચરીત માનસ મંદિરનું નિર્માણ તેમજ ધારી મુકામે જીવન મુકતેશ્ર્વર મહાદેવ આશ્રમનો ર્જીણોધ્ધાર કરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું.
આ તકે ગીતા વિદ્યાલય રાજકોટ ખાતે સાંજે 4-30થી 7-30 ભગવદ ગીતા પારાયણ, ગીતા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમસ્ત ગીતા વિદ્યાલય પરીવાર મનહરલાલજી મહારાજને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy