(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.2
ધ્રાંગધ્રા હળવદ રોડ મયુરનગરમાં ગરીયા પરિવારના બુટ ભવાનીમાંનું મંદિરની 4 દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ગરીયા ભરવાડ સમાજનાં મોભી દ્રારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભજન રાસ ગરબા ડાયરો સહીતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં સંતો મહંતો માતાજીની આરાધના અને ભક્તોને આશીર્વાદ આપવા પધાર્યા હતાં.
ધ્રાંગધ્રા મયુરનગરમાં ગરીયા પરિવારના બુટ ભવાનીમાંનું મંદિર નવ નિર્માણ પામી ચૂક્યું છે ત્યારે ગરીયા ભરવાડ સમાજનાં મોભી દ્રારા 4 દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરવાડ રબારી માલધારી સમાજના મહંત ઘનશ્યામગીરી બાપુ, કનીરામ બાપુ, મૌની બાપુ, ભરત બાપુ અને ઝાલા ભગત બાપુ જેવા પૂજ્ય ગુરુ દેવ શ્રીઓ 1 મેં અને બુધવારના રોજ સવારે માતાજીની આરાધના અને ભક્તોને આશીર્વાદ આપવા પધાર્યા હતા તેમજ માલધારી સમાજના નામી આગેવાનો અને ભુવાશ્રીઓ માતાજીના નવરંગા માંડવા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી.
જેમાં તારીખ 28 એપ્રિલ થી 2 મેં સુધીના માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રખર જ્ઞાની આચાર્ય શાસ્ત્રી કેતનભાઈ મહેતા અને ભૂદેવોની ટિમ દ્રારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને તારીખ 29 એ વહેલી સવારે માતાજીની ભવ્ય શોભાયાત્રા ધ્રાંગધ્રા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી જેમાં ગુજરાત ભરના નામી ડીજે કલાકરો માતાજી ની ભક્તિ થી ધ્રાંગધ્રાવાસીઓને હિલોળે ચડાવ્યા હતા તેમજ 30 એપ્રિલ ની રાત્રીએ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના નામી કિર્તીદાન ગઢવી અને મયાભાઈ આહીર ધૂમ મચાવી હતી ગરીયા પરિવાર દ્રારા સમગ્ર માલધારી સમાજને ખાસ આમન્ત્રણ પાઠવ્યું હતું જેમાં માતાજીના નવરંગા માંડવામાં ડાક ડાખલા ની પણ મોજ એના અલગ જ રૂપમાં જોવા મળશે. 4 દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભરવાડ રબારી સમાજના યુવાનોમાં ખાસ જોશ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy