રાજકોટ, તા.2
પુજીત રૂપાણી ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટમાં પસંદગી પામવાની ચાર મુખ્ય વિષયોની લેખિત પરીક્ષા ‘ચાણક્ય વિદ્યામંદિર’ ખાતે લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પૂરી તૈયારી કરીને આવેલા 529 વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન- સામાજિક વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા આપી હતી.
જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટમાં પસંદગી થવા ધો.7 માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે ધો.7 માં પ્રથમ સેમેસ્ટરમાં 85% કે તેથી વધુ માર્કસ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાને લાયક બને છે.
મેરીટ મુજબ પસંદ થનાર વિદ્યાર્થીઓને ધો.8 માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે. આજરોજ યોજાયેલ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતનાઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ શિસ્તબદ્ધ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.
આજની આ પ્રવેશ પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ જ્ઞાનપ્રબોધીની પ્રોજેક્ટ કમિટીના હિમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા ઉપરાંત કાર્યકરો કનુભાઈ હિંડોચા, રાજુભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, કેતનભાઈ મેસવાણી સહિત જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના પૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જહેમત ઊઠવેલ હતી. આજની આ પરીક્ષામાં સામેલ તમામ વિદ્યાર્થીઓને મિસ્ટ ભાવતા ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
આજની આ પરીક્ષાનું પરિણામ આગામી તા.8 મે ને બુધવારના રોજ ટ્રસ્ટના ભવન ‘કિલ્લોલ’, 1-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન ઓફિસ સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે મૂકવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy