શનિવારે અમરેલીમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547 મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે: વરણાંગી નીકળશે

Local | Amreli | 02 May, 2024 | 11:44 AM
મંગળા, પલના દર્શન, બપોરે રાજભોગ, તિલક આરતી સહિતના ઉત્સવો ઉજવાશે
સાંજ સમાચાર

(પ્રફુલભાઇ બાટવીયા)
અમરેલી, તા.2

અમરેલી ખાતે શ્રીમદ્ વલ્લભાયાર્ય મહાપ્રભુજીનાં પ47માં પ્રાગટય મહોત્સવ ઉજવાશે જેમાં વૈષ્ણવજનો મોટી સંખ્યામાં જોડાશે.
નિકુંજનાયક દ્વારકાધીશજી પ્રભુની અસીમ કૃપાથી અને આશિર્વાદથી વલ્લભાચાર્યજીના પ47માં પ્રાગટય ઉત્સવ આગામી તા. 4 શનિવારના રોજ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરેલ છે. આ  પ્રસંગના અલૌકિક ઉત્સવોમાં હાજરી આપવા વૈષ્ણવને ભાવભર્યું આપવામાં આવેલ છે.

આગામી તારીખ 4 ના રોજના ઉત્સવોમાં મંગળા દર્શન સવારે 7:30 કલાકે, જયારે પલના દર્શન સવારે 10:1પ પછી (નંદોત્સવ થશે), રાજભોગ બપોરે 1ર કલાકે તિલક આરતી થશે. (ફૂલ મંડળીમાં દર્શન થશે), શયનના દર્શન, ફુલના બંગલા વરણાંગી આવ્યા બાદ થશે. જયારે ભોગ આરતી સાંજે પ કલાકે થશે. જયારે ભવ્ય વરણાંગી અમરેલીની ગોવર્ધનનાથજી હવેલી - કેરીયા રોડથી સાંજે પ કલાકે શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ દ્વારકાધીશજી હવેલીએ પહોંચશે, ત્યાર બાદ શયનના દર્શન થશે. અને ત્યાર બાદ બાલભવન રામજી મંદિરની સામે સાંજે 7 થી 9 કલાકે દરેક વૈષ્ણવોએ મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

આ વરણાંગીમાં સુખપાલની સેવામાં દરેક વૈષ્ણવ ભાઈઓએ ધોતી-બંડી  ઉપરણા  સાથે તથા બહેનોએ વરણાંગીમાં કેસરી સાડીમાં બહોળી સંખ્યામાં હાજરી આપશે. આ વરણાંગીમાં ચાલી ન શકે તેવા વૈષ્ણવો માટે ફોર વ્હીલ વાહનની પણ વ્યવસ્થા રાખેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj