રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ) તા.15
અત્રેથી પાંચ કિલોમીટર આગળ શ્રીનગર તરફ બદરીનાથ હાઈવે પર એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતા 8 લોકોના મોત થયા છે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ટેમ્પો ટ્રાવેલરમાં 23 જેટલા યાત્રીઓ સવાર હતા. વાહન નોઈડાથી ચોપતા જઈ રહ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પ્રશાસન, આપતિ મેનેજમેન્ટ ડીડીઆરએફ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતની આ ઘટના પર સીએમ પુષ્કરસિંહ ધામીએ શોક વ્યકત કર્યો છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નિપજયા હતા જયારે ઘાયલોને નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ કરાયા હતા. અકસ્માતની ઘટનાને લઈને જિલ્લા અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy