પંજાબના આશુતોષે 8માં ક્રમે ઉતરી ફિફટી ફટકારી

192 રનના ટાર્ગેટ સામે 12 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ પંજાબની લડાયક ઇનિંગ્સ, છેલ્લી ઓવરમાં થઈ હાર : MI 9 રને જીત્યું

India, Sports | 19 April, 2024 | 10:13 AM
સૂર્યકુમાર યાદવના 53 બોલમાં 78 રન : માત્ર 21 રન આપી ત્રણ વિકેટ ઝડપનાર બુમરાહ પ્લેયર ઓફ ધી મેચ : મુંબઈ પોઇન્ટ ટેબલ પર સાતમા ક્રમે પહોચ્યું
સાંજ સમાચાર

સાંજ સમાચાર સ્પોર્ટ્સ ડેસ્ક - ચંદીગઢ : 
મુલ્લાનપુર (ચંદીગઢ)માં ગુરુવારે પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 19.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે ચાર ઓવરના ક્વોટામાં 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઉલ્લેખનિય છે કે પંજાબ કિંગસએ માત્ર 12 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા છતાં છેલ્લી ઓવર સુધી મેચ પહોંચી અને માત્ર 9 રને હારી. 

 

આશુતોષ અને શશાંક સિંહની લડાયક બેટિંગ 
પંજાબ કિંગ્સે 59 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પંજાબ કિંગ્સ તરફથી આશુતોષ શર્માએ કમાલની બેટિંગ કરી હતી. આશુતોષે 28 બોલમાં 2 ફોર અને 7 સિક્સની મદદથી 61 રન બનાવી આઉટ થયો હતો. શશાંક સિંહે 25 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 41 રન બનાવ્યા હતા. 

 

ખેલાડીઓનું પ્રદર્શન: સૂર્યની ફિફ્ટી, બુમરાહ-કુટજીએ 3-3 વિકેટ ઝડપી હતી
સૂર્યકુમાર યાદવે 53 બોલમાં 78 રનની અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 36 રન અને તિલક વર્માએ અણનમ 34 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે 3 જ્યારે કેપ્ટન સેમ કુરેને 2 વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડાને એક વિકેટ મળી હતી.

જવાબમાં પંજાબ તરફથી આશુતોષ શર્માએ 28 બોલમાં 61 રન બનાવ્યા હતા જ્યારે શશાંક સિંહે 25 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રિત બુમરાહ અને ગેરાલ્ડ કુટીઝે 3-3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, આકાશ માધવાલ અને શ્રેયસ ગોપાલને એક-એક વિકેટ મળી હતી. પંજાબના આશુતોષે 8માં ક્રમે આવીને હાલ્ફ સેંચયુરી ફટકારી હતી. 

પંજાબે ટોપ-5 બેટ્સમેન માત્ર 21 રન બનાવી શક્યા 
પંજાબનો ટોપ ઓર્ડર રન ચેઝમાં નિષ્ફળ રહ્યો. ટીમે 10 રનના સ્કોર પર પ્રભાસિમરનની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના ટોપ-5 બેટ્સમેનો વધુ યોગદાન આપી શક્યા ન હતા. ઓપનિંગ કરવા આવેલા કેપ્ટન સેમ કુરન 6 રન, પ્રભાસિમરન 0, રિલે રૂસો 1, લિયામ લિવિંગ્સ્ટન 1 અને હરપ્રીત સિંહ ભાટિયા 13 રન બનાવીને આઉટ થયા હતા. આ તમામે મળીને માત્ર 21 રન બનાવ્યા હતા.

પોઈન્ટ ટેબલ: મુંબઈ 7માં નંબર પર આવી ગયું છે 
પંજાબ 33મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં નંબર-9 પર આવી ગયું છે, જ્યારે પંજાબની ટીમ નંબર-9 પર પહોંચી ગઈ છે. બંને ટીમો 7-7 મેચોની સમાન સંખ્યા રમી છે. મુંબઈએ ત્રણ જીત બાદ 6 પોઈન્ટ મેળવ્યા છે જ્યારે પંજાબના બે જીત બાદ માત્ર 4 પોઈન્ટ છે.  

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj