દેહરાદૂન,તા.17
ચારયાત્રા શરૂ થતા જ આ વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટતા સચિવાલયમાં ચારધામ યાત્રાની સુરક્ષાના મુદ્દે ચર્ચામાં 31મીમે સુધી વી.આઈ.પી. દર્શન માટે 31મે સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું.
સાથે યાત્રામાં રજીસ્ટ્રેશન મુજબ જે તારીખ મળી હોય તે અનુસાર દર્શન માટે જઈ શકાશે.આ ઉપરાંત ચાર યાત્રાના મંદિરોમાં મંદિર પરિસરના 50 મીટરની ત્રિજયામા મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
રીલ બનાવી ભ્રામંક માહિતી ફેલાવનાર સામે એફઆરઆઈ ચારધામ યાત્રામાં મંદિર પાસે મોેબાઈલથી ફોટો પાડવા અને વિડીયો ઉતારવા યાત્રીકો જાજો સમય ઉભા રહેતા ભીડ જામે છે જે કારણે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે.
રીલ બનાવી સંદેશ ફેલાવનારા સામે ગુનો નોધાશે યાત્રા માટે આવતા શ્રધ્ધાળુઓ શ્રધ્ધા અને આસ્થા માટે નહી ખાલી હરવા ફરવા રીલ બનાવવા આવી છે. તેવુ લાગી રહ્યુ છે. જે તે કારણે સાચા શ્રધ્ધાળુઓને પરેશાની ભોગવવી પડી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy