દિલ્હીમાં કેજરીવાલ સરકારને આંચકો: મહિલા પંચના 223 કર્મચારીઓને છુટા કરાયા

India | 02 May, 2024 | 03:19 PM
રાજયપાલ દ્વારા પગલુ: ભરતી ગેરકાનુની રીતે થઈ હતી
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.2
દિલ્હીમાં કેજરીવાલ સરકારને વધુ એક આંચકો આપતા લેફ. ગવર્નર વિજય સકસેનાએ રાજયના મહિલા આયોગમાં ભરતી કરાયેલ 223 કર્મચારીઓને તાત્કાલિક છુટા કરવા આદેશ આપ્યો છે.

આ ભરતી મહિલા આયોગના પુર્વ અધ્યક્ષ સ્વાતી માલીવાલે કોઈપણ પુર્વ મંજુરી કે પ્રક્રિયા વગર જ કરવામાં આવી હતી અને તેને ઉપરાજયપાલે માન્ય રાખી ન હતી. રાજભવન તરફથી આ અંગે જણાવાયું કે કેન્દ્ર સરકારના ઓડીટ રિપોર્ટના આધારે એન્ટીકરપ્શન બ્યુરોએ કેસ પણ દાખલ કર્યો છે.

આ નિયુક્તિની તપાસ માટે જે કમીટી રચાઈ હતી તેને પણ સમગ્ર ભરતીને ગેરકાનુની રીતે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને તે હવે રદ કરવામાં આવી છે. જેના કારણે તમામ કર્મચારીઓને હવે છુટા કરાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj