રાજકોટ, તા.2
શહેરના નવલનગર શેરી નં.2માં કડીયા કામ કરતી વખતે વીજ કરંટ લાગતા હરેશ ભીખાભાઇ પરમાર (ઉ.વ. 35) નામના યુવકનું મોત થયું હતું.આ અંગે મળતી વિગત મુજબ આજે બપોરે 1-45 વાગ્યા આસપાસ હરેશ નવલનગરના એક મકાનમાં બાથરૂમની ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો.
લાદી કાપવા ગ્રાઇન્ડર ચાલુ કરતા જ તેને વીજ કરંટ લાગ્યો હતો. તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડતા અત્રે તેને મૃત જાહેર કરાયો હતો. બનાવના પગલે માલવીયાનગર પોલીસના વી.એન. પરમાર ટીમ સાથે દોડી આવેલા.
મૃતક હરેશભાઇ અહીં રાજકોટ તેના મામાના ઘરે આવ્યો હતો જ્યાંથી મામાના દિકરા નરેશભાઇ સાથે નવલનગરમાં કડીયા કામ કરવા આવ્યો હતો. હરેશ કોટડા સાંગાણી નજીક આવેલા એક ગામમાં રહે છે તેને સંતાનમાં ત્રણ દિકરા છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy