રાજકોટ, તા.14
ગત તા.6/1/2024 ના રોજ ચોટીલા વચ્ચેના રોડ રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે નજીક ગુંદાળા ગામની સીમમાંથી ભાવનાબેન રૂપેશભાઈ નિમાવત (રહે. રાજકોટ)ની લાશ મળી હતી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ ફરિયાદ આપી હતી. અને જણાવેલું કે તેની દિકરી ભાવનાએ રૂપેશ સાથે પ્રેમલગ્ન કરેલ હતા. પોલીસે તપાસ કરતા 1) નરેશ પરમાર 2) રમેશ પરમાર 3) જયેશ રાઠોડ 4) ભાનુબેન પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરે કાવતરૂ ઘડી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
આરોપીઓની ધરપકડ થતા જેલ હવાલે કરાયા હતા. આરોપી જયેશ રાઠોડે જામીન માટે અરજી કરી હતી. અરજીની સુનાવણી થતા સરકારી વકીલે દલીલો કરી હતી અને આરોપીઓ સામે પુરતો પુરાવો આવેલ જેથી ચાર્જશીટ થયુ છે. આરોપી જયેશ રાઠોડની ચાર્જશીટ બાદની જામીન અરજી રીજેકટ કરવા રજુઆત કરેલી હતી. જે ધ્યાને લઇ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી જયેશ રાઠોડની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy