નવી દિલ્હી તા.23
લીકર એકસાઈઝ પોલીસીમાં મની લોન્ડરીંગના આરોપમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સુગર લેવલ મુદે વિવાદ ઉઠયા બાદ કેજરીવાલને જેલમાં પહેલીવાર ઈુસ્યુલીન આપવામાં આવ્યું હતું.
કેજરીવાલે ઘેરથી આવેલા ટિફિનમાં રસ-પુરી ખાતા ઈડીએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ પોતાનું સુગર લેવલ જાણી જોઈને વધારીને મેડીકલના ગ્રાઉન્ડમાં જામીન લેવા માંગે છે, જેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે હું જાણી જોઈને મારી જાતને લકવામાં મુકું!
દરમિયાન આમ આદમી પાર્ટીના સૂત્રો મુજબ જેલમાં કેજરીવાલનું સુગર લેવલ 320 સુધી વધી ગયું હતું. દરમિયાન દિલ્હી સરકારની મંત્રી આતિશીએ ઈડી અને તિહાર જેલ પ્રશાસન પર કોર્ટને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવ્યા છે.
તેણે કહ્યું હતું કે કેજરીવાલનું સુગર લેવલ વધવાને લઈને ના તો એઈમ્સના વિશેષજ્ઞોની સલાહ લેવાઈ કે ના તો કેજરીવાલનું વ્યવસ્થિત ચેકઅપ કરાવાયું. માત્ર એક ડાયેટિશિયનના ચાર્ટના આધારે કોર્ટમાં કહેવામાં આવ્યું કે જો તેમને ડાયેટ અનુસાર ખાવાનું અપાયું હોત તો તેમનું સુગરલેવલ ઠીક રહેત.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy