નવી દિલ્હી તા.14
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના નવા કાર્યકાળ માટે પોતાના બે જુના અને વિશ્વાસુ અધિકારીઓ અજીત દોભલ અને પી.કે.મિશ્રાની અનુક્રમે રાષ્ટીય સુરક્ષા સલાહકાર તથા વડાપ્રધાનનાં પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે પુન:નિમણુંક કરી છે.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભારતે કરેલા સર્જીકલ સ્ટ્રાઈકમાં અત્યંત મહત્વની ભુમિકા ભજવનારા 1986 ની બેચના આઈપીએસ અધિકારી અજીત દોભાલ સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ સંભાળશે.
કેબીનેટની એપોઈન્ટમેન્ટ કમીટી (એસીસી) એ 10 જુન, 2024 થી અમલી બને તે રીતે બન્નેની નિમણુંકને મંજુરી આપી છે.બન્નેની નિમણુંક વડાપ્રધાનનાં કાર્યકાળ સુધીની અથવા તો નવો આદેશ એ બન્નેમાંથી બે વહેલુ હોય તે મુજબની રહેશે.
દોભાલ અને મિશ્રા બન્નેને કેબીનેટ મંત્રીનો દરજજો અપાયો છે. બન્નેની નિમણુંકની શરતો અને નિયમો અલગથી જારી કરવામાં આવશે તેમ તેમની નિમણુંકનાં આદેશોમાં જણાવાયું છે. દોવાલ સૌ પ્રથમ વખત 2014 માં અને ત્યારબાદ 2019 માં એનએસએ તરીકે નિમણુંક પામ્યા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા માટેનાં સંવેદનશીલ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવા માટે ગુપ્તચર વિશ્ર્વમાં ભારતના જેમ્સ બોન્ડ તરીકેની આગવી નામનાં ધરાવતા દોવલ આઈબીમાં કામ કરવાનો 33 વર્ષનો અનુભવ ધરાવે છે.
વડાપ્રધાન મોદી દ્વારા પુન:નિમણુંક પામેલા પી.કે.મિશ્રા 1972 ની ગુજરાત કેડરનાં આઈએએસ અધિકારી છે. જેમણે કેન્દ્ર અને ગુજરાત સરકારમાં અનેક મહત્વનાં હોદાઓ પર કામગીરી નિભાવી છે.
તેમણે વડાપ્રધાન મોદીના 2014-2019 ના કાર્યકાળ દરમ્યાન એડીશ્નલ પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ 31 મે, 2019 માં સમાન પદ પર તેમની પુન:નિમણુંક કરાઈ હતી.
નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે 2001 થી 2004 દરમ્યાન મિશ્રાએ તેમના અગ્ર સચીવ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત એસીસી દ્વારા વડાપ્રધાનના સલાહકાર તરીકે પૂર્વ આઈએએસ અધિકારીઓ અમિત ખરે તથા તરૂણ કપુરની બે વર્ષ માટે પુન:નિમણુંક કરાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy