મુંબઇ, તા. 24
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવારને કો-ઓપરેટીવ બેન્કના આર્થિક કૌભાંડ કેસમાં રાહત મળી છે. આર્થિક અપરાધ શાખા અર્થાત ઇઓડબલ્યુ તરફથી તેમને રપ હજાર કરોડના મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક કૌભાંડમાં કલીનચીટ મળી ગઇ છે. અજીત પવાર, પત્ની સુનેત્રા ઉપરાંત ભત્રીજા રોહિત પવાર સાથે જોડાયેલી કંપનીઓને પણ કલીનચીટ મળી ગઇ છે. જોકે ઇડી તરફથી દાખલ ચાર્જશીટમાં જણાવ્યું છે કે ગુરૂ કમોડીટી અને જરાંદેશ્ર્વર શુગર મિલ્સને લીઝને વાસ્તવિક દર્શાવવા કાગળ પર લેવડ દેવડ કરી હતી.
ઇઓડબલ્યુ તરફથી દાખલ કલોઝર રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જરાંદેશ્ર્વર કો-ઓપરેટીવ સુગર મિલને ગુરૂ કમોડીટીથી જરાંદેશ્ર્વર શુગર મિલ્કત પ્રાઇવેટ લિમિટેડને રેન્ટ પર લેવામાં કોઇપણ ગેરકાયદે ગતિવિધિ સામેલ નથી.
ખાસ બાબત એ છે કે આ મામલાની તપાસ કરી રહેલી ઇઓડબલ્યુએ વર્ષ ર0ર0માં કલોઝર રીપોર્ટ દાખલ કર્યો હતો પણ બાદમાં અજીત પવાર અને ભત્રીજા રોહિત પવારની તપાસ માટે કોર્ટમાં પહોંચી હતી અને ફાઇલ બીજીવાર ખોલવાની માંગ કરી હતી. જાન્યુઆરીમાં ઇઓડબલ્યુએ બીજો રીપોર્ટ દાખલ કર્યો હતો અને કેસને બંધ કરવાની માંગ કરી હતી. વિંગનું કહેવું હતું કે અજીત સહિત કોઇની વિરૂધ્ધ કોઇ પુરાવા નથી મળ્યા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy