સરબજીતના હત્યારા અમીર સરફરાઝની તેના જ ઘરમાં ગોળી મારી હત્યાથી પાક.માં હડકંપ

World | 15 April, 2024 | 05:08 PM
પાકિસ્તાનમાં ‘લાહોર કા અસલી ડોન’ તરીકે કુખ્યાત અને...
સાંજ સમાચાર

લાહોર (પાકિસ્તાન) તા.15
‘લાહોર કા અસલી ડોન’ તરીકે કુખ્યાત અને ભારતીય સરબજીતના હત્યારા અમીર સરફરાઝની લાહોરમાં તેના ઘરમાં ઘુસીને બે અજાણ્યા શખ્સો હત્યા કરીને નાશી છુટયા હતા. બન્ને હત્યારાઓએ હેલ્મેટ પહેરી હતી. પોલીસ હત્યારાની તલાશમાં લાગી ગઈ છે.

ભારતીય સરબજીત પર પાકિસ્તાનની બોર્ડરમાં ઘુસી જાસૂસીનો આરોપ મુકી પાકિસ્તાની કોર્ટે સજા સંભળાવી હતી. આ સરબજીતની લખપતની જેલમાં હત્યા કરનાર અમીર સરફરાઝની હત્યાના બનાવથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે.

આ મામલે પાકિસ્તાનના પોલીસ અધિકારી ઉસ્માન અનવરે કહ્યું હતું કે હત્યાની તપાસમાં વિભિન્ન પાસાઓની તપાસ થઈ રહી છે. તેના પરિવારે સરફરાઝની કોઈની સાથે દુશ્મની ન હોવાની વાત કરી હતી.

અમીર સરફરાજના નાના ભાઈ જુનૈદે કહ્યું હતું કે ઘટના સમયે તેનો મોટોભાઈ અમીર સરફરાઝ તાંબા ઘેર હતો. રવિવારે બપોરે 12.40 વાગ્યે બે અજ્ઞાત મોટરસાયકલ સવારોએ ઘરમાં પ્રવેશ કરીને ઉપરના ફલોરમાં ચાલ્યા ગયા હતા અને અમીર સરફરાઝ કંઈ સમજે તે પહેલા તેમણે ગોળીઓ ચલાવી. ગોળીનો અવાજ સાંભળી હું ઉપર ગયો તો ભાઈ લોહીથી લથપથ હતો. તેને હોસ્પિટલે પહોંચાડયો ત્યારે રસ્તા પર જ તેણે દમ તોડી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે લાહોરના અસલી ડોન તરીકે જાણીતો અમીર સરફરાઝ તાંબા ‘ટ્રકવાલા ગેંગ’નો સભ્ય હતો તે માદક પદાર્થની તસ્કરીમાં લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે જાસૂસીના આરોપમાં પાકિસ્તાનના લખપતની જેલમાં બંધ ભારતીય સરબજીતની હત્યા અમીર સરફરાઝે પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈના કહેવાથી હત્યા કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj