મુંબઇ, તા.23
ગુજરાત સહિત દેશભરમાં વિશાળ સંખ્યા ધરાવતા દાઉદી વ્હોરા સંપ્રદાયના ધાર્મિક વડા તરીકે મુફદ્દલ સૈફુદ્દીનની નિયુકિતને પડકારતી એક રીટ અરજી મુંબઇ હાઇકોર્ટે ફગાવી દીધી છે. 2014માં સંપ્રદાયના પરમાં દાઇ-અલ-મુતકલ સૈયદના મહમદ બુરહાનુદ્દીન સાહેબના નિધન બાદ તેમના વારસદાર તરીકે બીજા નંબરના પુત્ર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની નિયુકિત કરવામાં આવી હતી.
જેમાં ચાલી રહેલા અદાલતી વિવાદમાં આજે મુંબઇ હાઇકોર્ટે સૈયદના મુફદ્દીન સૈફુદીનની દાઉદી વ્હોરા સમુદાયના વડા તરીકે નિયુકિતને બહાલ રાખી છે તથા તેમના પિતરાઇ તાહેર ફખરૂદ્દીનના દાવાને ફગાવી દીધો છે. આ સાથે 2014 બાદ જે વિવાદ શરૂ થયો હતો તેનો અંત આવ્યો છે.
દાઉદી વ્હોરા સીયા મુસ્લિમ એક ધાર્મિક સંપ્રદાય છે અને ભારતમાં તેના પાંચ લાખથી વધુ અનુયાયી છે અને દુનિયાભરમાં 10 લાખથી વધુ સદસ્યો છે. તેના ધાર્મિક વડાને દાઇ-અલ-મુતકલ તરીકે ઓળખવામાં આવે છે અને સૈયદના સાહેબ પણ કહેવાય છે. જેમાં પરમાં સૈયદના સાહેબ મહમદ બુરહાનુદીનનું નિધન તથા તેમના વારસદાર તરીકે તેમના પુત્ર મુફદ્દલ સૈફુદ્દીનની નિયુકિત કરવામાં આવી છે જેની સામે પિતરાઇ અને તેમના પુત્રએ અદાલતી જંગ માંડયો હતો.
દાઉદી વ્હોરા સિધ્ધાંત મુજબ ઉતરાધિકારીની નિયુકિત એક ઇશ્વરીય પ્રેરણાના માધ્યમથી કરવામાં આવે છે અને તે સમુદાયમાં કોઇપણ યોગ્ય વ્યકિતને ‘નસ’ વારસદાર તરીકે ગણવામાં આવે છે અને તેમાં લગભગ એક દસકાની લાંબી લડાઇ બાદ સૈયદના મુફદલ સૈફુદીનની પંથના વડા તરીકે નિયુકિતને માન્ય રાખવામાં આવી છે.
લગભગ એક દસકાની લડાઇમાં સંપ્રદાયના અનેક સિધ્ધાંતો અને નિર્ણયોને ટાંકવામાં આવ્યા હતા જેમાં ન્યાયમૂર્તિ ગૌતમ પટેલે તેના આખરી ચુકાદામાં સૈયદના મુફદલ શૈફુદીનની નિયુકિતને માન્ય રાખી છે અને આ સાથે હાલ વિવાદનો અંત આવ્યો છે. વિશ્વના 40 દેશોમાં પથરાયેલા આ સમુદાયની ગણના સૌથી સરળ વ્યકિતત્વ ધરાવતા સિયા મુસ્લિમ તરીકે ગણના થાય છે. અને ભારતમાં તે વિકાસના એક ભાગીદાર પણ બન્યા છે.
આસ્થા નહીં, માત્ર પુરાવાના આધારે ચુકાદો આપ્યો: જસ્ટીસ પટેલ
દાઉદી વ્હોરા સમાજમા ધાર્મિક વડા તરીકે સૈયદના મુફધલ સૈફુદીનની નિયુક્તિને મુંબઈ હાઈકોર્ટે યોગ્ય ઠરાવી છે ત્યારે ચુકાદો આપનારા સીંગલ બેંચના જસ્ટીસ ગૌતમ પટેલે નોંધ્યું છે કે ચુકાદો આસ્થા નહીં પણ માત્ર પુરાવાના આધારે આપવામાં આવ્યો છે.
દાઉદી વ્હોરા સમાજની 40 દેશોમાં વસતી; સૌથી વધુ વસ્તી ભારતમાં
દાઉદી વ્હારા સમાજના ધાર્મિક વડા વિશેના ચુકાદાના વ્યાપક ધાર્મિક અને કાનૂની વિવાદો સર્જાવાની શકયતા રહેલી જ છે. દાઉદી વ્હોરા સમાજ વિશ્ર્વના 40થી વધુ દેશોમાં પથરાયેલો છે અને 10 લાખથી વધુની વસતી છે. સૌથી મોટી વસ્તી ભારતમાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy