નવી દિલ્હી: દેશના ન્યાયતંત્રમાં હવે સર્જાઈ રહેલા નવા વમળોમાં 21 પુર્વ ન્યાયમૂર્તિઓને સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડને એક રાખી દેશમાં ન્યાયતંત્રને નબળું પાડવાની કોશીશ થઈ રહી હોવાની ચિંતા દર્શાવી હતી. આ પત્રમાં લખાયુ છે કે કેટલાક જૂથો દબાણ બનાવીને ખોટી માહિતીઓ ફેલાવીને સાર્વજનિક રીતે ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ખરડાવવા અને તેને નબળું પાડવાની કોશિશ કરી છે અને કેટલાક રાજકીય પક્ષો તેમના લાભ માટે આ કરી રહ્યા છે તથા આપણા લોકતંત્રના મૂળભૂત ભાવના પર ભડકાવવાનો પ્રયાસ છે અને તે કરવું ફકત અનૈતિક જ નહી આપણા લોકતંત્રની મૂળભૂત ભાવના સાથે પેદા થઈ રહ્યા છે. કોર્ટના ચૂકાદાથી કોઈના વિચારો સાથે જો સાનુકુળ હોય તો તેથી પ્રશંસા થાય છે અને જો વિરોધમાં હોય તો તેની ટીકા થાય છે. આ પત્ર લખનારને સુપ્રીમ કોર્ટના પુર્વ જજ ન્યાયમૂર્તિ જસ્ટીસ દીપક વર્મા, એમ.એસ.શાહ વિ.નો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy