અયોધ્યા : અયોધ્યાના રામ મંદિરમાં પહોંચી રહેલા શ્રદ્ધાળુઓએ રામલલ્લાના દર્શન હવે સહેલાયથી નહીં થઈ શકે. આ માટે તેમણે પહેલા આકરી પરીક્ષામાંથી પસાર થવું પડશે, તે બાદ રામલલ્લાના દર્શન માટે એન્ટ્રી મળશે.
રામનવમી મેળા પછી ફરી આરતી અને દર્શન માટેના પાસમાં ગેરરીતીને રોકવા માટે પાસ ધારક શ્રદ્ધાળુઓને ત્રિસ્તરીય તપાસની વ્યવસ્થા પહેલી વખત લાગુ કરી દેવાઈ છે.
આ તપાસ માટે પાસ ધારકોએ ઈસ્યૂ પાસના આઈડીને પોતાની સાથે લઈ જવાનું ફરજિયાત થઈ ગયું છે. પહેલા આ અનિવાર્ય ન હતું અને પાસ જોઈને શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાતો હતો પરંતુ હવે પાસ ધારકની ખરાઈ કરવા તેમણે રોકીને પૂછપરછ કરવામાં આવે છે જે બાદ પ્રવેશ આપવામાં આવે છે.
પૂર્વ વ્યવસ્થાના કારણે સાઈબર ખેલાડી બીજાના આઈડી પ્રૂફ પર લોકોને મોકલીને વસૂલી કરી રહ્યાં હતા. ગત દિવસોમાં ધનરાશિને લઈને દર્શન કરાવવાના મામલે તપાસ થઈ તો આ પ્રકારના ચોંકાવનારા મામલાઓ પણ સામે આવ્યા.
આ કારણે આઈડી પ્રૂફની ખરાઈની વ્યવસ્થાને લાગુ કરી દેવાઈ છે. આ નવી વ્યવસ્થામાં એન્ટ્રી ગેટ પર સુરક્ષા કર્મી પહેલા પાસની સામાન્ય તપાસ કરીને પોતાના હસ્તાક્ષર કરી નક્કી કરેલી સંખ્યામાં શ્રદ્ધાળુઓને પ્રવેશ સુનિશ્ચિત કરાવે છે.
પુન: ફ્રીસ્કિંગ એરિયામાં યુપી પોલીસના અધિકારી પાસ ધારકના આઈડી પ્રૂફ માગી શકે છે. તેમના આઈડી પ્રૂફ સાથે પાસ ધારકના ચહેરાને મેચ કરાવવા ઉપરાંત પાસમાં સ્લોટનો સમય તેમજ તિથિની પણ તપાસ કરવામાં આવે છે.
આ તપાસથી સંતુષ્ટિ બાદ જ અધિકારી પોતાના હસ્તાક્ષર કરે છે. ફ્રીસ્કિંગ એરિયામાં તપાસ બાદ ત્રીજી વખત ફરી પાસની સામાન્ય તપાસ થાય છે અને નિર્ધારિત શ્રદ્ધાળુઓની ગણતરી કરીને તેમણે આગળ જવા દેવામં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy