રાજકોટ, તા.15
રાજકોટની સુપ્રસિધ્ધ અથર્વ મલ્ટીસ્પેશ્યાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં છેલ્લા 17 વર્ષથી દેશ વિદેશના દર્દીઓની જટીલ રોગોની સફળતાપૂર્વક સારવાર કરે છે. જેના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા આયુર્વેદ તબીબ ડો. ગૌરાંગ જોષી કે જેઓ વિદેશમાં આમંત્રિત થયા છે.
ડો. ગૌરાંગ જોષી તા. 19 જુનથી બ્રાઝીલના સાઉપૌલો શહેર ખાતે આવેલ સંસ્થા બ્રાઝીલ ઈન્ડીયા સ્કુલ ઓફ આયુર્વેદ સ્કુલમાં આયુર્વેદનું પ્રશિક્ષણ તેમજ સારવાર આપવામાં આવે છે અને આ સંસ્થાએ રાજકોટની અથર્વ આયુર્વેદ હોસ્પિટલની અથર્વ ગ્લોબલ એકેડેમી ઓફ આયુર્વેદના ડો. ગૌરાંગ જોષીને બ્રાઝીલ આમંત્રીત કર્યા છે. ત્યાં ડો. જોષી વિદ્યાર્થીને આયુર્વેદનું પ્રશિક્ષણ આપશે સાથોસાથ નજીકના ભવિષ્યામાં બ્રાઝીલથી આયુર્વેદના વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે આયુર્વેદનું પ્રેકટીકલ ટ્રેનિંગ માટે પણ આવશે.
બાત્રિલ બાદ ડો. ગૌરાંગ જોષીને યુ.એસ.એ. (અમેરીકા)ના રાજય સ્થિત ટકસન શહેર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યાં ડો. જોષી ઈન્ટીગ્રેટીવ મેડીસીનના તબીબો તથા વિદ્યાર્થીઓને આયુર્વેદના પાઠ ભણાવશે, ત્યાર બાદ હ્યુસ્ટન ટેક્ષાસ ખાતે પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યાં પણ તેઓ આયુર્વેદનું પ્રશિક્ષણ આપશે. ત્યાર બાદ ડો. ગૌરાંગ જોષી મેકિસકોના સુપ્રસિધ્ધ એલોપેથી તબીબ ડો. કેનીયા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે અને ત્યાં ડો. જોષી ત્વચાના જટીલ રોગો, કેન્સર ઓથે ઈમ્યુન ડીસીઝ જેવા રોગોના દર્દીઓને આયુર્વેદન સારવાર આપશે તેમજ તબીબોને આયુર્વેદનું પ્રશિક્ષણ આપશે.
અમેરિકા, મેકસીકો તથા બ્રાઝીલની યાત્રા પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બરમાં ડો. જોષીને યુરોપ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે. આમ અથર્વ આયુર્વેદના ડો. ગૌરાંગ જોષી વિદેશમાં ભારતીય ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદનો સફળતા પૂર્વક પ્રસાર કરી રહ્યા છે તેઓ અત્યાર સુધી 21 દેશો દ્વારા આમંત્રિત થઈ ચુકયા છે. ડો. ગૌરાંગ જોષીને મો. 98251 63953 પર શુભકામના રાજકોટ તથા ગુજરાતના અગ્રણીઓ પાઠવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy