દહેરાદૂન,તા.24
કેદારનાથ ધામ યાત્રાની તૈયારીઓની માહિતી મેળવવા રૂદ્રપ્રયાગના જિલ્લા અધિકારી સૌરભ ગહરવારે કેદારનાથ ધામથી ગૌરીકુંડ માર્ગનું પગપાળા નિરીક્ષણ કરી યાત્રાની વ્યવસ્થાઓ અને તૈયારીની વિગતો મેળવી હતી.
યાત્રા માર્ગ પર સેન્ચુરી એરિયા તેમજ વન ક્ષેત્રમાં ઘોડા-ખચ્ચરોના છાણથી ઘાસના મેદાન તેમજ વન સંપદાને થઈ રહેલી ક્ષતિ પર ડીએમે ચિંતા જાહેર કરી હતી અને યાત્રા માર્ગ પર ઘોડા-ખચ્ચરોના રાત્રી વિશ્રામને પ્રતિબંધીત કરી દીધો હતો.
ડીએમે જણાવ્યું હતું કે ઘોડા-ખચ્ચરો માત્ર ઘોડા પડાવો પર જ વિશ્રામ કરી શકશે. આ નિયમનો ભંગ કરનાર ઘોડા-ખચ્ચર માલિકો અને ધંધાદારીઓ પર ભારે દંડ અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લાધિકારીએ ઘોડા-ખચ્ચરો તેમજ તેના માલિકોની સુવિધા માટે છોટી લિંચોલી સામે ઘોડા પડાવ બનાવવાનો પ્રસ્તાવ પણ તૈયાર કરવાનું કહ્યું છે, જેથી સુવિધાજનક સ્થળો પર ઘોડા-ખચ્ચરો રહી શકે. સંવેદનશીલ અને ડેન્જરસ ઝોનમાં પણ ડીએમે દુકાન ન લાગવા દેવાના નિર્દેશ પણ આપ્યા છે.
યાત્રા માર્ગમાં વિજળી, પાણી, સ્ટ્રીટલાઈટ, રેન શેડ, રેલીંગ તેમજ માર્ગ સાથે જોડાયેલા બધા કાર્ય શરૂ થતા પહેલાં પુરાં કરવાના નિર્દેશ પણ ડીએમે અધિકારીઓને આપ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy