નવી દિલ્હી,તા.15
લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી અપુરતી બહુમતી મામલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ ભાગવત તેમજ સંઘના અન્ય વરિષ્ઠ નેતાએ આપેલા નિવેદનથી વિવાદ થતા હવે સંઘે ફેરવી તોળ્યું છે. સંઘે જણાવ્યું છે કે ભાગવતનું નિવેદન સ્વયં સેવકો માટે હતું, તેને ભાજપ સાથે કંઈ લેવા-દેવા નથી તો ઈન્દ્રેશકુમારના નિવેદનને ‘અંગત’ ગણાવ્યું હતું!
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે સ્પષ્ટતા કરી હતી કે, લોકસભા ચૂંટણી પરિણામો તેમજ અન્ય કોઈ મુદ્દે તેના ભાજપ સાથે કોઈ મતભેદ નથી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં સંઘના ત્રીજા વર્ષના શિક્ષા વર્ગના સમાપન પર સ્વયંસેવકોને સેવાકાર્યમાં અહંકારથી બચવાનું આહવાન કર્યુ હતું, નહીં કે કોઈ પક્ષ કે કોઈ પક્ષના રાજનેતા માટે. આ સાથે જ સંઘે પોતાના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશકુમારના નિવેદનને અંગત કહ્યું હતું. જો કે સંઘે માન્યુ છે કે આ વખતની ચૂંટણીમાં કડવાશ વધી છે.
‘ઓર્ગેનાઈઝર’નો લેખ સ્વયંસેવકોની ભાવના: સંઘનું કહેવું છે કે આ વખતની ચૂંટણીમાં કડવાશ વધી છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના સંઘના બારામાં નિવેદનને પણ ગંભીરતાથી નથી લેવાયું, પણ માન્યુ છે કે આથી સ્વયં સેવકો પર અસર પડી છે. સૂત્રો અનુસાર, નડ્ડાએ પોતાના નિવેદનમાં સંઘ
નેતાઓને પણ સફાઈ આપી હતી. વરિષ્ઠ નેતાએ સંઘના કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશકુમારના નિવેદનને અંગત બતાવતા કહ્યું હતું કે સંઘ કયારેય સીટોને લઈને અને રાજનીતિને લઈને વાત નથી કરતુ. ‘ઓર્ગેનાઈઝર’ માં પ્રકાશિત લેખને પણ સ્વયં સેવકોની ભાવના માની અને કહ્યું હતું કે આ સંઘનો વિચાર નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy