♦ વિદેશમંત્રી એસ.જયશંકરનો આકરો જવાબ: ભારતે હંમેશા વિશ્વના લોકોને આવકાર્યા છે પણ દેશમાં એ જ લોકો સ્વીકાર્ય જેમનો ભારતમાં હકક છે: સીએએનો બચાવ
નવી દિલ્હી તા.4
અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડને દેશના અર્થતંત્રની પ્રશંસા કરતા સમયે ભારતને ‘જેનોફોબિક’ દેશ બતાવતા જ વિદેશમંત્રી એસ.જયશંકરે તેનો આકરો જવાબ આપીને કહ્યું હતું કે, સૌપ્રથમ તો અમારું અર્થતંત્ર ડગમગતુ નથી અને ભારત એક હંમેશા અલગ અને અનોખો દેશ રહ્યો છે અને વિશ્વના ઈતિહાસમાં એ નોંધાયેલું છે કે દરેક સમુદાયના લોકો ભારત આવ્યા છે અને તેમનો શિકાર પણ થયો છે.
બાઈડને ‘જેનોફોબિક’ દેશ તરીકે ગણાવ્યો તેનો અર્થ એ થાય છે કે તે દેશ વિદેશીઓને પસંદ કરતો નથી અને તેમના પ્રત્યે ભેદભાવ રાખેલ છે. બાઈડને પોતાના પ્રવચનમાં અગાઉ ભારત ઉપરાંત જાપાન, ચીન, રશિયા ને પણ ‘જેનોફોબિક’ દેશ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું કે, અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ ચુંટણી યોજાઈ રહી છે તે મહત્વપૂર્ણ છે અને અમેરિકા તેમજ લોકતંત્ર અને આઝાદીનું આ ચુંટણીમાં મહત્વ છે. બાઈડને વધુમાં કહ્યું કે તમે જાણો છો કે અમેરિકાની અર્થવ્યવસ્થા શા માટે સતત વધી રહી છે તેનું કારણ તમે એટલે કે (વિદેશથી અમેરિકામાં વસેલા લોકો છે.) અમે આ પ્રકારે વિદેશીઓનું સ્વાગત કરીએ છીએ.
બાઈડને વધુમાં કહ્યું કે. ચીનની આર્થિક સ્થિતિ ખરાબ રીતે રોકાઈ ગઈ છે. ભારત, રશિયા અને જાપાનને પણ પરેશાની થઈ રહી છે. કારણ કે તેઓ જેનોફોબિક દેશ છે તે વિદેશીઓને પસંદ કરતા નથી અને તે તેની મુશ્કેલી છે. જેનોફોબિક શબ્દમાં એ પણ અર્થ થાય છે કે વિદેશીઓ પ્રત્યે નાપસંદગી કે ડરનો માહોલ હોય છે.
બાઈડનના આ વિધાનોને એસ.જયશંકરે ફગાવ્યા હતા અને એક મુલાકાતમાં કહ્યું કે, ભારતે નાગરિકત્વના કાનૂનમાં પણ સુધારા કર્યા છે અને દર્શાવી દીધું છે કે અમે કેવા લોકોને આવકારવા માંગીએ છીએ. અમે એ જ લોકોને સ્વીકારશું જેમનો ભારતમાં હકક છે.
અમેરિકાએ અગાઉ સીએએ કાનૂન મુદે પણ ભારતની આકરી ટીકા કરી હતી અને હવે બાઈડનના શબ્દોથી અમેરિકા ભારતને કેવી નજરે જુએ છે તે પણ બહાર આવી ગયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy