બેંગલોર : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ છે. તેણે રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેની કારકિર્દીની 250મી આઈપીએલ મેચ રમી હતી. ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં કાર્તિકના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો હતો. તે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પછી તેની 250મી IPL મેચ રમનાર ત્રીજો બેટ્સમેન બન્યો.
દિનેશ કાર્તિક આ સિઝનમાં જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે સાત ઇનિંગ્સમાં 196.09ની સ્ટ્રાઇક રેટથી 251 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે પોતાના બેટથી બે અડધી સદી પણ ફટકારી છે. રવિવારે કોલકાતા સામે રમાયેલી મેચમાં કાર્તિકે 25 રન બનાવ્યા હતા.
અનુભવી બેટ્સમેન પહેલા રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની 250 IPL મેચ રમી ચૂક્યા છે. રોહિતે હાલમાં જ આ સિઝનમાં તેની 250મી મેચ રમી હતી. તેણે 18 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.
રોહિત, ધોની અને કાર્તિક બાદ વિરાટ કોહલી 245 મેચ સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. આઈપીએલમાં અત્યાર સુધી માત્ર 10 ખેલાડી એવા છે જેઓ 200થી વધુ મેચ રમ્યા છે. રસપ્રદ વાત એ છે કે તમામ ભારતીય ખેલાડીઓ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy