ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું માનવું છે કે, રોહિત શર્મા એક સમજદાર કેપ્ટન છે. દબાણમાં સારા નિર્ણયો લે છે, જે ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે તેની હાજરીને મહત્વપૂર્ણ બનાવશે.
રોહિતની કપ્તાનીમાં ટીમ ગયા વર્ષે 50 ઓવરના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. T-20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ ઉપરાંત ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી. ભારતે છેલ્લે ધોનીની કપ્તાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં ICC ખિતાબ જીત્યો હતો.
T-20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર યુવરાજે કહ્યું, રોહિતની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આપણને એક સારા કેપ્ટન અને સમજદાર કેપ્ટનની જરૂર છે જે દબાણમાં સારા નિર્ણય લઈ શકે. જ્યારે અમે 50 ઓવરના વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયા ત્યારે રોહિત કેપ્ટન હતો. છતોં કેપ્ટન તરીકે પાંચ IPL ટાઇટલ જીત્યા છે. આપણનેે તેના જેવા કેપ્ટનની જરૂર છે.
વર્લ્ડ કપ જીતવા માટે હકદાર: યુવરાજે 2007માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર રોહિતની સફરને નજીકથી જોઈ છે. રોહિત સાથેની તેની પ્રથમ મુલાકાત અંગે યુવરાજે મજાકના સ્વરમાં કહ્યું, ખૂબ જ ખરાબ અંગ્રેજી.બોલતો અને તે ખૂબ જ રમુજી વ્યક્તિ છે.
બોરીવલી (મુંબઈ) ની શેરીઓમાંથી અમે હંમેશા તેને ચીડવતા આવ્યા હતાં. પણ દિલનો તે ખૂબ જ સારો અને નિખાલસ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy