નવી દિલ્હી, તા.2
બ્રિટીશ વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકાએ યુકેની હાઇકોર્ટમાં કબુલ કર્યું હતું કે તેમની કોરોના વક્સિનથી લોહી જામી જવાનો ખતરો થઇ શકે છે. હવે એસ્ટ્રાજેનેકાની આ કબૂલાતનો સામનો ભારતમાં તેની સહયોગી કંપની સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાને કરવો પડી રહ્યો છે, વાત એમ છે કે ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન લગાવ્યા બાદ બે યુવતીના મોત થયા બાદ હવે આ યુવતીઓના પિતાએ સીરમ ઇન્સ્ટિીટયુટ સામે કેસ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ઋતિકા અને કરુણ્યા નામની બે યુવતીઓએ કોરોના મહામારી દરમ્યાન બન્નેએ કોવિશિલ્ડ વેક્સિન લગાવી હતી. 18 વર્ષની ઋત્વિકાએ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. જો કે એક સપ્તાહ બાદ ઋત્વીકને ભારે તાવ આવ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. એમઆરઆઇ સ્કેનમાં બહાર આવેલું હતું કે તેના મસ્તકમાં લોહીના ગઠ્ઠા જામ્યા હતા અને બે સપ્તાહમાં ઋત્વિકાનું મોત થઇ ગયું હતું.
આ જ રીતે વેણુ ગોપાલ ગોવિંદનની પુત્રી કરુણ્યાને પણ જુલાઇ 2021માં કોરોના રસી લગાવ્યા બાદ મોત થયું હતું. ત્યારે વેક્સિન પર રાષ્ટ્રીય સમિતિએ એમ કહીને વેક્સિનથી મોતની આશંકાને ફગાવી દીધી હતી કે તેના પર્યાપ્ત પુરાવા નહોત.
હવે જ્યારે બ્રિટનની હાઇકોર્ટમાં એસ્ટ્રેજેનેકાએ કબુલાત કરી છે કે તેની વેક્સિનથી લોહી જામવાનો ખતરો છે ત્યારે ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ મૃત્યુ પામેલી બે યુવતીના પરિવારોએ એસ્ટ્રેજેનેકાની ભારતની સહયોગી સીરમ ઇન્સ્ટિટયુટ સામે કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લઇ લીધો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy