નવી દિલ્હી તા.23
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે યોજાયેલ એક સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયાનાયડુ અને સુલ ઈન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્ર્વર પાઠક સહીત કેટલાય અન્ય દિગ્ગજ હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. નાયડુ, પાઠક અને જાણીતા ભરત નાટયમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમને પદ્મ પુરસ્કારથી સન્માનીત કરાયા હતા.
પાઠકને મરણોપરાંત આ પુરસ્કાર અપાયો હતો.અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયિકા ઉષા ઉથુપ્પ, ઉતર પ્રદેશનાં પૂર્વ રાજયપાલ રામ નાયક અને ઉદ્યોગપતિ સીતારામ જીંદલને પદ્મ ભુષણથી સન્માનીત કરાયા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ, વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર સહીત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દેશના સર્વોચ્ચ નાગરીક સન્માનોમાં એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણી પદ્મ વિભુષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીમાં પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર વિભિન્ન વિષયો કે ગતિવિધીનાં ક્ષેત્રોમાં આપવામાં આવે છે. જેમાં કલા,સામાજીક કાર્ય, જાહેર મામલા,વિજ્ઞાન એન્જીનીયરીંગ, વ્યાપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહીત્ય અને શિક્ષણ રમત, સિવીલ સેવા સહીત અન્ય ક્ષેત્રો પણ સામેલ છે.
પદ્મભૂષણ સાધારણ અને વિશિષ્ઠ સેવા માટે પદ્મ ભુષણ ઉચ્ચ કોટીની વિશિષ્ટ સેવા માટે અને પદ્મશ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને પદ્મશ્રી જયારે ડો.તેજસ પટેલ, ગુજરાતી પત્રકાર કુંદન વ્યાસ, ગાયિકા ઉષા ઉથુપ્પ, અને અભિનેતા પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનીત કરાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy