નવી દિલ્હી, તા.4
લોકસભા ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીયથી માંડીને પ્રાદેશિક નેતાઓ પણ વાણીવિલાસ સાથે એક બીજા પર આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ સહિતના અન્ય નેતાઓ વિરૂધ્ધ હૈદ્રાબાદમાં આચાર સંહિતા ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
હૈદ્રાબાદમાં ચૂંટણી પ્રચારમાં નાના બાળકોના ઉપયોગથી ફરિયાદના આધારે અમીત શાહ ઉપરાંત હૈદ્રાબાદના ઉમેદવાર કે. માધવી લતા, જી. કિશન રેડ્ડી, રાજાસિંઘ વગેરે સામે આચાર સંહિતા ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ નિરંગન રેડ્ડીની ફરિયાદ પરથી આ કેસ દાખલ કરાયો છે.
ભાજપની ચૂંટણી સભામાં બાળકોને ‘ભાજપના પ્રતિક’ સાથે ઉભા રાખવામાં આવ્યા હતા. જે આચાર સંહિતાનો ભંગ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદના આધારે ચૂંટણીપંચે હૈદ્રાબાદ પોલીસ કમિશ્નરને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને તેના આધારે આઇપીસીની કલમ 188 હેઠળ કેસ દાખલ કરાયો છે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ નહીં કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી જ હતી. આવા કોઇ કૃત્યો સાંખી નહીં લેવાનું સ્પષ્ટ કરાયું હતું. આચાર સંહિતા અંતર્ગત સંબંધિત કાર્યવાહી પણ કરાવી શકતા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy