OTT પ્લેટફોર્મ, મોટી ફિલ્મોની ગેરહાજરી તથા IPL ટુર્નામેન્ટ

ઉનાળુ વેકેશન છતાં સિનેગૃહો-મલ્ટીપ્લેક્સો ખાલીખમ

India, Entertainment | 02 May, 2024 | 05:10 PM
પ્રાઇમ ટાઇમ શોમાં પણ માંડ 10 ટકા દર્શકો જ આવતા હોવાનો એસોસીએશનનો એકરાર
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
રાજકોટ હોય કે અમદાવાદ અથવા કોઇપણ મહાનગર, ઉનાળાના બળબળતા તાપમાં એરકંડીશન્ડ સિનેગૃહમાં બેસીને ઠંડા વાતાવરણમાં ફિલ્મની મજા લેવાનો ટ્રેન્ડ  હતો પરંતુ હવે તે ગાયબ થઇ ગયો છે. કોઇ મોટી ફિલ્મોનો અભાવ તથા ઓટીટીના વધતા ચલણને કારણે સિનેગૃહોમાં દર્શકોની હાજરી ઘણી ઓછી થઇ ગઇ છે. અમુક અંશે આઇપીએલના મેચોને પણ કારણરૂપ ગણાવાય રહ્યા છે.

સિનેગૃહોના સંચાલકોએ એવો એકરાર કર્યો છે કે સિનેગૃહના એસીમાં બેસીને ફિલ્મ જોવાનો ટ્રેન્ડ ધીમો પડી ગયો છે અને તેના બદલે લોકો ઘરમાં જ આરામદાયક માહોલમાં ફિલ્મ જોવા કે સમય ગાળવા લાગ્યા હોય તેવો માહોલ છે. કોઇ મોટી-સારી ફિલ્મોની રીલીઝ નથી. ઉપરાંત આઇપીએલ ટુર્નામેન્ટ ચાલુ છે તેમજ ઓટીટી પર વ્યાપક વિકલ્પો ઉપલબ્ધ હોવાના કારણે સિનેગૃહોને મોટો ફટકો છે.

ગુજરાત મલ્ટીપ્લેક્સ ઓનર્સ એસો.ના અંદાજ  છે કે પીક અવર્સ કે રાત્રીના પ્રાઇમ ટાઇમ શોમાં પણ દર્શકોની સંખ્યા માંડ 8 થી 10 ટકાની રહી છે અર્થાત થિયેટરની ક્ષમતાની 90 ટકા સીટો ખાલી રહે છે. એસો.ના પ્રમુખ મનુભાઇ પટેલે કહ્યું કે સિને સંચાલકોને હવે ભાગ્યે જ કમાણી રહી છે.

છેલ્લા બે મહિનાથી આવી સ્થિતિ છે. માર્ચ 5 વિકનો મહિનો હોવાથી કાયમી ધોરણે તેમાં દર્શકોની હાજરી ઓછી રહેતી હોવાથી તે સમજી શકાય તેવી વાત હતી. પરંતુ એપ્રિલ મહિનો પણ ઘણો ઠંડો જ રહ્યો છે અને તે પાછળનું મુખ્ય કારણ કોઇ મોટી-બ્લોકબસ્ટર ફિલ્મની રીલીઝ ન હોવાનું છે.

થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાની મજા અનુભવ અલગ જ રહેતો હોવા છતાં હવે નવી ફિલ્મો પણ રજુઆત બાદ ટુંકાગાળામાં જ નબળી પડવા લાગતી હોવાનો નિર્દેશ આપતા સિનેગૃહ સંચાલકોએ કહ્યું કે અગાઉ 3-3 સપ્તાહ સુધી નવી ફિલ્મોમાં દર્શકોની સારી સંખ્યા રહેતી હતી હવે નવી ફિલ્મ એક સપ્તાહમાં જ નબળી પડી જાય છે. દર્શકોની સંખ્યા ઘટી જાય છે.

સિનેગૃહોમાં દર્શકોની ઘટતી સંખ્યા પાછળ ઓટીટી પ્લેટફોર્મ પણ એક મોટુ કારણ છે. સ્માર્ટ ટીવીના યુગમાં લોકો ઘેર બેઠા ઓટીટી પર જ મુવી કે સીડીઝ જોવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. થિયેટર માલિકો દ્વારા ટિકિટ પર ડીસ્કાઉન્ટથી માંડીને વિવિધ સ્કીમો ઓફર કરવાનું શરુ કર્યું છે. દર્શકોને આકર્ષવા વિવિધ વિકલ્પો વિચારવા લાગ્યા છે. જુની ક્લાસિક, એવોર્ડ-વીનીંગ કે થીમ બેઇઝડ ફિલ્મો રીલીઝ કરવાની પણ વિચારણા થવા લાગી છે.

રાજકોટના સિને સંચાલકોના કહેવા પ્રમાણે નવી મોટી ફિલ્મોની ગેરહાજરીથી 30 ટકા તથી ઓટીટી પ્લેટફોર્મથી 40 ટકા અસર છે. સિનેદર્શકોની ઘટતી સંખ્યાથી મોલ પર પણ અસર છે. મલ્ટી પ્લેક્સ ચેઇન સાથે ભાગીદારી કરનારા મોલને પણ કમાણીમાં ફટકો છે. ઉપરાંત ફિલ્મ જોવાની સાથોસાથ મોલમાં થતી ખરીદીને પણ અસર થવા લાગી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj