નવી દિલ્હી,તા.5
ભારતમાં 1990ની તુલનામાં હાલ લોકો 7.9 વર્ષ વધુ જીવી રહ્યા છે. ‘લેન્સિટ’માં પ્રકાશિત અભ્યાસમાં આ ખુલાસો થયો છે. અધ્યયન અનુસાર મહામારીના ઝટકા છતાં ગત ત્રણ દાયકામાં ભારત સહિત પૂરી દુનિયામાં જીવનનું પ્રમાણ વધ્યું છે. દુનિયાભરમાં લોકો 1990ની તુલનામાં 2021માં સરેરાશ 6.2 વર્ષ વધુ જીવી રહ્યા છે.
મુખ્ય બીમારીઓથી મોતમાં ઘટાડો મુખ્ય કારણ: જીવનનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ ગંભીર બીમારીઓથી થતા મોતમાં ઘટાડો જણાવાયો છે, જો કે ગંભીર બિમારીઓ આજે પણ તે છે જે 1990માં હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડાયેરિયા, શ્વાસમાં સંક્રમણ, સ્ટ્રોક અને ઈસ્કેમિક હૃદય રોગ જેવી બીમારીઓથી થતા મૃત્યુમાં ઘટાડો થયો છે. સંશોધનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 2020માં કોરોના મહામારી ન આવી હોત તો જીવનનું પ્રમાણ હજુ પણ વધુ હોત.
જીવનનું પ્રમાણ સરેરાશથી વધુ:
ભારતમાં ત્રણ દાયકામાં જીવનના પ્રમાણમાં 7.9 વર્ષનો વધારો થયો છે. દક્ષિણ એશિયાના દેશોમાં 1990 અને 2021 (7.8 વર્ષ) દરમિયાન જીવનના પ્રમાણમાં દુનિયાના અન્ય ભાગોની તુલનામાં બીજી સૌથી મોટી વૃદ્ધિ થઈ છે જેનું મુખ્ય કારણ ડાયેરિયાથી થતા મૃત્યુમાં ભારે ઘટાડો છે.
કોરોના મહામારીએ કરી મોટી અસર:
કોરોના મહામારીના કારણે 2019 અને 2021 વચ્ચે દુનિયાભરમાં જીવનના પ્રમાણમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં જીવનના પ્રમાણમાં ઘણો ઉતાર-ચડાવ પણ નજરે પડયો હતો. દક્ષિણ-પુર્વ એશિયા, પુર્વી એશિયા અને ઓશિનિયામાં કુલ મળીને 8.6 વર્ષની વૃદ્ધિ નોંધાઈ હતી.
આ ક્ષેત્રમાં કોરોના (0.4 વર્ષ)ના કારણે જીવનના પ્રમાણમાં સૌથી ઓછો ઘટાડો આવ્યો. કોરોનાના કારણે સૌથી વધુ 3.6 વર્ષ જીવનની હાનિ લેટિન અમેરિકા અને કેરેબિયનમાં થઈ હતી.
દક્ષિણ એશિયાના દેશોમાં જીવનનું પ્રમાણ: ભૂતાનમાં 13.6 વર્ષ, બાંગ્લાદેશમાં 13.3, નેપાળમાં 10.4, ભારતમાં 7.9 અને પાકિસ્તાનમાં 2.5 વર્ષનું જીવનનું પ્રમાણ વધ્યું છે. અર્થાત ભૂતાનમાં સૌથી વધુ 13.6 વર્ષ અને પાકિસ્તાનમાં સૌથી ઓછુ 2.5 વર્ષ જીવનનું પ્રમાણ વધ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy