દહેરાદૂન,તા.8
ઉતરાખંડના જંગલોમાં દાવાનળનો દોર ગઈકાલે પણ ચાલુ રહ્યો હતો. એક દિવસમાં અહી જંગલમાં આગ લાગવાની 68 જેટલી ઘટનાઓ બની હતી. અત્યાર સુધીમાં 1316 હેકટર જંગલ આગની ઝપટમાં આવી ચૂકયા છે. જંગલના આગની વધતી ઘટનાઓને જોતા સીએમ ધામીએ આજે બેઠક કરી હતી.
મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર જંગલમાં આગ લગાવનાર અરાજક તત્વોની સામે કઠોર કાર્યવાહી કરશે. વનાગ્નિ પર કાબુ પામવા માટે દરેક મોરચે કામ થઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેનાની સહાયની સાથે સાથે અધિકારીઓને પણ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આગ પર નિયંત્રણ કરવાના નિર્દેશ અપાયા છે. તેમણે જણાવ્યું હતું કે જંગલની આગ અમારા માટે પડકાર છે. આગ બુઝાવવાના બધા વિકલ્પ પર અમે કામ કરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy