નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં હવે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરીને આ ઉમેદવારોએ ઉમેદવારીપત્રકો ભરવા સાથે પ્રચાર પણ શરૂ કરી દીધા છે પણ ઉતરપ્રદેશની ત્રણ બેઠકો પર રાજયનો પેચ ફસાયો છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ગાંધી પરિવારની પરંપરાગત મનાતી અમેઠી અને રાયબરેલી બેઠક પર હવે રાહુલ અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે કે કેમ તે અંગે કોંગ્રેસ નકકી કરી શકતું નથી.
તો બીજી તરફ આ રાજયની કેસરગંજ બેઠક પર ભાજપ તેના વર્તમાન સાંસદ અને મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીના આરોપોથી બદનામ થયેલા વ્રજભૂષણ શરણસિંઘને ફરી ટિકીટ આપવા માંગતી નથી પણ બ્રજભૂષણ શરણસિંઘ રાજકીય હેવીવેઈટ છે અને તેથી ભાજપ તેને ઈન્કાર કરી શકતી નથી.
હવે તેના પુત્ર કરણભૂષણને ચુંટણી લડાવશે તેવા સંકેત છે. હવે કાલ સાંજ સુધીમાં ઉમેદવારી નોંધાવવાની છે તેથી અમેઠી-રાયબરેલી અંગે કોંગ્રેસ અને કેસરગંજ અંગે ભાજપ કોઈપણ સમયે નિર્ણય લેશે તેવું માનવામાં આવે છે. આજે કોંગ્રેસના મીડીયા ઈન્ચાર્જ જયરામ રમેશે કહ્યું કે, અમેઠી-રાયબરેલી અંગે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ નિર્ણય લેવાનો છે અને આજે સાંજ સુધીમાં આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના પુર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ બન્નેને ચુંટણી લડવા જણાવ્યુ છે પણ આ બેઠકોમાં ખાસ કરીને અમેઠી વધુ જોખમી છે અને તેથી રાહુલ હવે ફરી અહી લડવા માંગતા નથી તો રાયબરેલીમાં ભાજપે પણ હજું ઉમેદવાર જાહેર નહી કરી કોંગ્રેસની મુશ્કેલી વધારી દીધી છે. પ્રિયંકા ગાંધી તેમની મેઈડન ચૂંટણીમાં પરાજય મળે તે ઈચ્છતા નથી.
બીજી તરફ ભાજપ કેસરગંજમાં વૃજભૂષણ શરણસિંઘમાં ફસાયું છે અને તેને ટિકીટ આપે તો વિપક્ષોને પ્રહાર કરવાની તક મળી જાય. એક તો કર્ણાટકમાં સાથી પક્ષ જનતાદળ (એસ)ના સાંસદના સેકસકાંડમાં ભાજપને જવાબ દેવાનું ભારે પડી રહ્યું છે અને જો બૃજભૂષણ શરણસિંહને ટિકીટ આપે તો વધુ મુશ્કેલી સર્જાય. આમ હવે તેના પુત્રને ટિકીટ આપીને વિવાદ ઘટે તે જોવા પ્રયાસ કર્યા છે. બૃજભૂષણ શરણસિંઘના ત્રણેય ઉમેદવારીના ચાર સેટ ઉપાડયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy