અયોધ્યા :
રામ મંદિર નિર્માણની ગતિ વધારી દેવામાં આવી છે. મંદિર સહિત અન્ય અનેક પ્રોજેક્ટ પર એક સાથે કામ ચાલી રહ્યું છે. 161 ફૂટ ઊંચા રામ મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તેને ધ્યાનમાં રાખીને મજૂરોની સંખ્યા 3500 થી વધારીને ચાર હજાર કરવામાં આવી છે. રામ મંદિરના બીજા માળ અને શિખરના નિર્માણની ગતિ વધારી દેવામાં આવી છે.
રામ મંદિરની સાથે સંકુલમાં રેમ્પાર્ટ, રિટેનિંગ વોલ, સપ્ત મંડપમ અને શેષાવતાર મંદિરનું કામ પણ ચાલી રહ્યું છે. આ તમામ કામો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાના છે, તેથી નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
રામ મંદિરના પહેલા માળે રામદરબારની સ્થાપના કરવામાં આવનાર છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ દરબારની મૂર્તિ માત્ર અરુણ યોગીરાજ જ બનાવી શકે છે.
રામ મંદિરમાં સ્થાપિત બાલકરામની મૂર્તિને યોગીરાજે પોતે આકાર આપ્યો છે. રામદરબારની સ્થાપના સંદર્ભે ટ્રસ્ટની એક ટીમ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચેન્નાઈની મુલાકાતે આવી હતી. ઈંઈંઝ ચેન્નાઈના નિષ્ણાતો સાથે રામદરબારની સ્થાપના પર ચર્ચા થઈ છે.
શેષાવતાર મંદિરનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે
જોકે રામ મંદિરના ટ્રસ્ટી અનિલ મિશ્રા કહે છે કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે અરૂણ યોગીરાજ રામ દરબારની મૂર્તિ બનાવશે કે નહીં. અત્યારે પત્થરોની પસંદગી કરવામાં આવી રહી છે. શેષાવતાર મંદિરનું નિર્માણ 90 ટકા પૂર્ણ થયું છે. મંદિરનું શિખર બનાવવામાં આવી રહ્યું છે અને એક મહિનામાં તૈયાર થઈ જશે.
મંદિર એક માળનું હશે. ડો.અનિલે કહ્યું કે સાત પેવેલિયનના નિર્માણની ગતિ ઝડપી કરવામાં આવી છે. અહીં ભગવાન રામના સાત સમકાલીન પાત્રોના મંદિરો બનાવવામાં આવનાર છે, જેની ડિઝાઇન આ મહિને ફાઇનલ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy