નવીદિલ્હી તા.15
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છઉ. જે અંતર્ગત હવે તાત્કાલિક અસરથી કોરોના એડવાન્સ સુવિધાને બંધ કરવામાં આવી છે.
કોરોના મહામારી સમયે ખાતા ધારકોને પોતાના પીએફ ખાતામાંથી આગોતરા રકમ તરીકે ઉપાડની મંજૂરી આપવામાં આવી હતી. ઈપીએફઓએ આ સંબંધમાં એક સકર્યુલર ઈસ્યુ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના હવે મહામારી નથી, એટલે આ સુવિધાને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય છુટ મેળવેલ ટ્રસ્ટોને પણ લાગુ પડશે.
બે વખત ઉપાડી શકાતા હતા પૈસા
ઈપીએફ ખાતા ધારક કોરોનાના કારણે પેદા થયેલી નાણાકીય જરૂરીયાતને પુરી કરવા માટે બે વખત પૈસા ઉપાડી શકતા હતા સંગઠને મહામારીની પહેલી લહેર દરમિયાન સભ્યોને આગોતરા રકમ ઉપાડવાની સુવિધા આપી હતી. બાદમાં કોરોનાની બીજી લહેર આવવા પર 31 મે 2021ના એક વધુ આગોતરા ઉપાડની મંજૂરી આપી હતી.
આ દરમિયાન સભ્ય ત્રણ મહિનાના મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાંને બરાબર કે પોતાના પીએફ ખાતામાં બાકી રકમના 75 ટકા સુધી, જે પણ ઓછી હોય, બીન વાપસી યોગ્ય ઉપાડ મેળવી શકતા હતા. આ સુવિધાનો લાભ ઈપીએફઓના બે કરોડથી વધુ સભ્યોએ ઉઠાવ્યો હતો. કોરોના આગોતરા રકમ તરીકે વર્ષ 2023 સુધીમાં 48,075.75 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy