રાજકોટ, તા.15
NEET માં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહોતી. ગોટાળો થયો છે, ગેરરીતિ થઈ છે, પેપર લીંક થયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત કોંગ્રેસ મીડિયા ક્ધવીનર અને પ્રવકતા ડો. મનીષ દોશીના ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, NEET આપનાર 24 લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહ્યું છે.
NEETમાં માર્ક્સ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્ર્નાર્થ ઊભા થાય છે. પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ કલાસના સાંઠ ગાંઠનો ખેલ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર એનરીએ (NTA) ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી છે. શું NEET નું પેપર લીંક થયું હતું ? શું તેની તપાસ થઈ ? જો પેપર લીકની વાત સાચી ન હોય તો, પછી બિહાર પટણામાં FIR દાખલ થઈ, 19 જણાની ધરપકડ કરવામાં આવી તેઓએ સ્પષ્ટ કહ્યું કે, NEET પ્રશ્નપત્ર જવાબ સાથે આપી દેવામાં આવ્યું હતું .
તો પછી આ સમગ્ર બાબતે NTA અને કેન્દ્ર સરકાર કેમ ગંભીર નથી? ગુજરાતમાં ગોધરા સહિતની શાળામાં થયેલ NEET કીભાંડમાં શાળા અને વડોદરાના કોચીંગ ઈન્સ્ટીટ્યુટ સહિતના મુદ્દે બીજા ક્યા ક્યા મોટા મોટા માથા સંકળાયેલા છે ?
લોકસભાના પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરીને NEETના પરિણામની ગેરરીતી-ગોટાળા છુપાવવાની યોજના કોણે ઘડી ? ‘પરીક્ષા પે ચર્ચા’ કરતા પ્રધાનમંત્રી 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારી NEET માટે ક્યારે ચર્ચા કરશે ? સમગ્ર NEET માં થયેલ ગેરરીતિ, ગોલમાલ, પેપરલીક સહિતની બાબતોની સુપ્રિમકોર્ટના દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy