નવી દિલ્હી,તા.23
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઘેરથી તિહાર જેલમાં મોકલવામાં આવેલ કેરી અને મિઠાઈના ખોરાક પર કોર્ટે આશ્ર્ચર્ય વ્યકત કરીને તિહાર જેલ પ્રશાસનને પૂછયું હતું તેના ઘેરથી આવો ખોરાક આવી કેવી રીતે શકે, જેલ પ્રશાસને પણ આવો ખોરાક કેજરીવાલ સુધી કેમ જવા દીધો?
કોર્ટે આ મામલે જેલ પ્રશાસનનો ઉધડો લઈ લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલના ઘેરથી ખોરાકની જે વસ્તુઓ આવતી હતી તે ડોકટરની સલાહથી અલગ હતું. ડોકટરે
તેમને કેરી, બટેટા ખાવાની મનાઈ કરી છે, તેમ છતાં તેને ભોજનમાં સામેલ કરાઈ.
કોર્ટે સોમવારે કહ્યું હતું કે કેજરીવાલને ઘેરથી બનેલું ખાવાનું મળશે પણ તેણે એમ્સ મેડીકલ બોર્ડના ડાયેટનો સખ્તાઈથી અમલ કરવો પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy