કોવિડ વેકસીનની ખતરનાક સાઈડ ઈફેકટની કબુલાત વચ્ચે નિર્ણય

ભારત સહિત દુનિયાભરમાંથી કોવિશીલ્ડ પાછી ખેંચાશે-વેંચાણ બંધ

India, World | 08 May, 2024 | 11:17 AM
◙ એસ્ટ્રાજેનેકાનો નિર્ણય: ડીમાંડ સામે સપ્લાય ઘણી વધુ હોવાથી ફેસલો લીધો હોવાનો બચાવ
સાંજ સમાચાર

◙ યુરોપમાંથી વેકસઝેવરીયા પાછી ખેંચાશે: 5મી માર્ચે જ દરખાસ્ત કરી દીધી હતી, 7મેએ મંજુરી મળી

લંડન,તા.8
કોરોના રસીની લોહીમાં ગંઠા જામી જવા જેવી ગંભીર સાઈડ ઈફેકટ હોવાની કબુલાત કરનારી વેકસીન ઉત્પાદક કંપની એસ્ટ્રાજેનેકાએ વિશ્વભરમાં રસીનું ખરીદ વેંચાણ બંધ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારતમાં કોવીડશીલ્ડનાં નામે આ વેકસીન આપવામાં આવી હતી.

કોવીશીલ્ડની સાઈડ ઈફેકટથી હાર્ટએટેક સ્ટ્રોકનાં જોખમ સર્જાઈ શકતા હોવાના કંપનીના એકરારને પગલે ભારત સહીત વિશ્વભરના દેશોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભારતીયોને આ કોવીશીલ્ડ રસીનાં 100 કરોડથી વધુના ડોઝ આપ્યા હતા.

એસ્ટ્રાજેનેકા દ્વારા 2020 માં ઓકસફર્ડ યુનિવર્સીટી સાથે હાથ મીલાવીને કોરોના વેકસીન વિકસાવી હતી. આ ફોર્મ્યુલાનાં ઉપયોગ કરીને સીરમ ઈન્સ્ટીટયુટે ભારતમાં કોવીશીલ્ડ નામે રસીનું ઉત્પાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કંપનીએ ગત સપ્તાહે જ વેકસીનથી સાઈડ ઈફેકટની કબુલાત આપી હતી.

બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ હવે દુનિયાભરમાંથી પોતાની વેકસીનનાં ખરીદ-વેંચાણને અટકાવી દેવાનો નિર્ણય લીધો છે તેમાં ભારતમાં બનાવાયેલી કોવીશીલ્ડનો પણ સમાવેશ થાય છે.વેકસીનનો સ્ટોક પણ પાછો ખેંચી લેવાનું જાહેર કરાયું છે.

કંપની દ્વારા એવૂ જાહેર કરવામાં આવ્યું હતું કે માર્કેટમાં જરૂરીયાત કરતાં વધુ માત્રામાં વેકસીન ઉપલબ્ધ છે. એટલે કંપની દ્વારા રસી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે.વેકસીન પાછી ખેંચી લેવા માટે ગત 5 મી માર્ચે જ દરખાસ્ત સોંપવામાં આવી હતી અને 7 મેથી તેનો અમલ શરૂ કરી દેવાયો છે.

કંપનીએ વેકસીનને કારણે અમુક જ કેસોમાં ખતરનાક સાઈડ ઈફેકટની વાત સ્વીકારતા તીવ્ર પ્રત્યાઘાતો પડયા હતા. કંપનીએ કહ્યું કે યુરોપમાંથી પણ વેકસઝેવીરીયા વેકસીન પાછી ખેંચી લેવામાં આવશે.

એસ્ટ્રાજેનેકાએ એવુ જાહેર કર્યું હતું કે દુનિયાભરમાં કોવીડની અનેક અપડેટેડ રસી ઉપલબ્ધ છે જરૂરીયાત કરતા પણ વધુ માત્રામાં સ્ટોક છે. સામે ડીમાંડ ઘટી ગઈ છે યુરોપને લાગેવળગે છે ત્યાં સુધી યુરોપમાં વેંચાયેલી વેકસઝેવીરીયાનું ઉત્પાદન અને સપ્લાય અટકાવવામાં આવી જ હતી અને હવે પડતર જથ્થો પણ પાછો ખેંચી લેવામાં આવશે.

કંપનીએ સીરમ ઈન્સ્ટીટયુટ મારફત ભારતમાં કોવીશીલ્ડનું વેચાણ કર્યું હતું. કોરોનાકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા જ નાગરીકોને કોવીશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા બે ડોઝ ફરજીયાત કરાયા હતા અને પછી બુસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો હતો તે પણ લાખો લોકોએ લીધો હતો.આરોગ્ય મંત્રાલયમાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતમાં કોવીશીલ્ડનાં 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj