♦ બટલરે KKR સામે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યા હતા. રાજસ્થાને જેના આધારે IPL ઈતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
♦ શ્રીલંકાના ફાસ્ટ બોલર મથિશા પાથિરાનાએ મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે 4 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે પથિરાનાને પ્લેયર ઓફ
ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો
♦ આનાથી ઓલરાઉન્ડર ખેલાડીઓને અન્યાય થશે
નવી દિલ્હી: ભારતીય કેપ્ટન રોહિત શર્મા IPL ના ’ઈમ્પેક્ટ પ્લેયર રૂલ’નો મતનો નથી. તેમનું માનવું છે કે આ નિયમને કારણે વોશિંગ્ટન સુંદર અને શિવમ દુવે જેવા ક્રિકેટરો બોલિંગમાં પોતાનું કૌશલ્ય દેખાડી શકતા નથી.
તેમનું કહેવું છે કે, આ નિયમથી દેશના ઓલરાઉન્ડરોના વિકાસમાં અવરોધ ઊભો થયો છે. ઇમ્પેક્ટ પ્લેયર નિયમ 2023 સીઝનથી લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં ટીમ પ્લેઇંગ ઇલેવનમાં એક ખેલાડીને બદલે અવેજી ખેલાડી સાથે લઈ શકે છે, જેની પાસે પ્લેઇંગ ઇલેવનમાં ખેલાડીઓ જેટલો જ અધિકાર છે.
રોહિતે માઈકલ વોન અને એડમ ગિલક્રિસ્ટના યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. રોહિતે શોમાં કહ્યું, ’હું માનું છું કે આનાથી ભારતીય ઓલરાઉન્ડરોના વિકાસમાં અવરોધ આવશે. ક્રિકેટ 12 નહીં પણ 11 ખેલાડીઓ સાથે રમાય છે. હું ઇમ્પેક્ટ પ્લેયર નિયમોને માનતો નથી. થોડા મનોરંજન માટે ક્રિકેટમાંથી ઘણું બધું છીનવાઈ રહ્યું છે.
ભારતીય કેપ્ટને કહ્યું, ’હું ઘણા ઉદાહરણો આપી શકું છું. વોશિંગ્ટન સુંદર, શિવમ દુવે જેવા ખેલાડીઓ બોલિંગ કરી શકતા નથી. આ ભારતીય ટીમ માટે સારું નથી. તેના વિશે શું કરી શકાય તે ખબર નથી, પરંતુ આ બરાબર નથી રોહિતે કહ્યું, ’આ મનોરંજક છે કારણ કે 12 ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકે છે.’
માત્ર IPL માં જ છે આ નિયમ
નોંધનીય છે કે IPL જેવી ટી-20 લીગમાં જ ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અન્ય કોઈપણ ફોર્મેટમાં ખેલાડીઓની બદલી માટે આવો કોઈ નિયમ નથી. ટી-20 ઇન્ટરનેશનલમાં પણ આ લાગુ પડતું નથી. આવી સ્થિતિમાં મુદ્દો એ છે કે જો તેને ક્રિકેટના અન્ય સ્તરે પણ લાગુ કરવામાં આવે તો નિયમોમાં એકરૂપતા આવશે. તેથી રોહિતની વાત તાર્કિક લાગે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy