ચંડીગઢ, તા.15
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને 21 દિવસની રજા માંગી છે. હાઈકોર્ટે શુક્રવારે આ મામલે હરિયાણા સરકાર અને શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ને નોટિસ પાઠવી છે. રામ રહીમ 2022 થી છ ફર્લો અને ત્રણ વખત પેરોલ સાથે 192 દિવસ માટે બહાર છે.
તાજેતરની અરજીમાં રામ રહીમે દલીલ કરી છે કે, આ મહિને ડેરા સચ્ચા સૌદાનો કાર્યક્રમ છે. જેમાં તેણે ભાગ લેવાનો છે. તે જ સમયે, શુક્રવારે રામ રહીમની અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજીના જવાબમાં આકરા શબ્દોમાં કહ્યું કે, તે કાર્યક્રમને મોકૂફ રાખી શકે છે.
હાઈકોર્ટે નારાજ સ્વરમાં પણ કહ્યું કે, પહેલા તમે કાર્યક્રમનું આયોજન કરો, પછી તમે કોર્ટમાં આવો અને લોકો પર તેમાં ભાગ લેવાનું દબાણ કરવા અરજી દાખલ કરો. આ મામલે હરિયાણા સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, ડેરા મુખીની અરજી આવી ગઈ છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાઈકોર્ટના આદેશ બાદ જ નિર્ણય લેવામાં આવશે.
હરિયાણા સરકાર પાસેથી માંગ્યો જવાબ
હાઈકોર્ટની વોકેશન વોચે રામ રહીમની અરજી પર હરિયાણા સરકારને જ નહીં પરંતુ SGPCને પણ નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે રજાઓ પૂરી થશે ત્યારે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની બેન્ચ જ આ અરજી પર સુનાવણી કરશે. હવે આ અરજી પર 2 જુલાઈએ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે, રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. તેને ત્રણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy