ડોક્ટરોની મનાઈ છતાં IPL રમી રહ્યો છે ધોની!

India, Sports | 08 May, 2024 | 05:03 PM
સાંજ સમાચાર

ગયા રવિવારે ધર્મશાલામાં પંજાબ કિંગ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 16મી ઓવરના અંતે 122 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યારે બધાને આશા હતી કે ધોની બેટિંગ કરવા આવશે. શાર્દુલ ઠાકુર જ્યારે બેટ ઉપાડીને મેદાનમાં પ્રવેશતો જોવા મળ્યો ત્યારે ચાહકો નિરાશ થયા હતા. ધોની નવમા નંબરે ઉતર્યો હતો.

ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત હતો જ્યારે માહી આટલી નીચે બેટિંગ કરવા આવ્યો હતો, ત્યારબાદ તેના નિર્ણયની ટીકા થવા લાગી હતી. ધોનીના જૂના સાથી ઈરફાન પઠાણ અને હરભજન સિંહે તો ત્યાં સુધી કહ્યું કે જો ધોની જવાબદારી લેવા માંગતો નથી તો તેણે પોતાને હટાવીને વધારાના બોલરને રમાડવો જોઈએ. જોકે હવે ધોની ની નીચી બેટીંગ ને લઈ મહત્વની માહિતી સામે આવી છે. 

પગના સ્નાયુઓ ફાટયા 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતપૂર્વ કેપ્ટન તેના પગના સ્નાયુઓમાં ઈજા સાથે આ IPL રમી રહ્યો છે અને તેની પાસે લાંબા સમય સુધી દોડવાનો કોઈ વિકલ્પ નથી. આઈપીએલના શરૂઆતના દિવસોમાં ધોનીના પગના સ્નાયુઓ ફાટી ગયા હતા, પરંતુ જ્યારે ટીમનો બીજો વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવે ઈજાના કારણે આઈપીએલ રમવા માટે ભારત આવ્યો ન હતો ત્યારે માહીએ પોતાને બ્રેક આપવાનું વિચારવાની ફરજ પડતી મુકી હતી. સ્થિતિ એવી છે કે ધોનીને દર્દ હોવા છતાં રમવું પડે છે, દવાઓ લેવી પડે છે અને ઓછા દોડવાનો પ્રયાસ કરે છે.

સતત રમવાને કારણે ઈજાઓ વધી 
જે લોકો ધોનીની ટીકા કરી રહ્યા છે તેઓને ખબર નથી કે તે આ ટીમ માટે કેટલો બલિદાન આપી રહ્યો છે. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે, પરંતુ વિકેટકીપર બેટ્સમેન પાસે કોઈ વિકલ્પ નથી કારણ કે ઈજાના કારણે ટીમ પહેલેથી જ ઘણી નબળી પડી ગઈ છે. પ્રેક્ટિસ દરમિયાન, 42 વર્ષીય ખેલાડી બિલકુલ દોડતો નથી અને તેની સંપૂર્ણ તૈયારી દડાને બાઉન્ડ્રી બહાર ફટકારવાની છે. તે નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને હંમેશા માર્ગદર્શન આપે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj