રાજકોટ,તા.27
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે "વિકસીત ભારત 2047” અંગે સંવાદ કાર્યક્રમનું ગઇકાલ તા.26 ને શુક્રવારના રોજ પ્રમુખસ્વામી ઓટીડોરીયમ હોલ, રાજકોટ ખાતે સફળતાપુર્વક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો તેમજ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા, માનદસહમંત્રી ઉત્સવભાઈ દોશી તથા ખજાનચી વિનોદભાઈ કાછડીયા તેમજ વિવિધ એસોસિએશનોના પ્રતિનિધિઓ દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવનું મોમેન્ટ, બુક તથા શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રીને આવકારી રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો તથા અન્ય માંગણીઓની રજુઆત કરી હતી.
જેમાં રેલ્વે મંત્રાલય દ્વારા અમદાવાદથી ઉપડતી વિવિધ 6 ટ્રેનોને રાજકોટ સુધી તાત્કાલિક લંબાવવા સહિતની બાબતોને ધ્યાને મૂકી હતી. રાજકોટ ચેમ્બર દ્વારા કરાયેલ પ્રશ્ર્નોેની રજુઆતોનો યોગ્ય નિરાકરણ લાવવા કેન્દ્રીય રેલ્વેમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy