રાજકોટ, તા. 1
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલસચિવના વધારાના હવાલામાંથી મુકત કરવા નાયબ કુલસચિવ ડો. રમેશ પરમારે યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેને પત્ર પાઠવેલ છે.
આ અંગે યુનિ.ના નાયબ કુલસચિવ ડો. રમેશ પરમારે જણાવ્યું છે કે તેઓએ ગત તા. 1-12-13થી યુનિ.ના કુલસચિવનો વધારો ચાર્જ સંભાળેલ હતો.તેઓએ જણાવ્યું છે કે કુલસચિવ તરીકેની કામગીરીના ભારણને લીધે તેઓની તબીયત નાદુરસ્ત રહેવા લાગી છે.
પરિવારને પણ પુરતો સમય ફાળવી શકાતો ન હોય તેઓને સોંપવામાં આવેલ કુલસચિવ તરીકેની વધારાની જવાબદારીને તેઓ પુરતો ન્યાય આપી શકતા ન હોય કુલસચિવ તરીકેની વધારાની જવાબદારીમાંથી મુકત કરવા તેઓએ જણાવ્યું છે.દરમિયાન યુનિ. વર્તુળોમાં ચર્ચાતી ચર્ચા મુજબ યુનિ.ના ગંદા રાજકારણ અને વધારાના બોજથી કંટાળી કુલસચિવના વધારાના હવાલામાંથી નાયબ કુલસચિવ રમેશ પરમારે મુકિત માંગેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy