યુક્રેન યુદ્ધ અને રેડ સી ક્રાઈસીસને કારણે નિકાસકારોની લોન સસ્તી કરવા ઉઠેલી માંગ

India, World, Business | 30 April, 2024 | 05:30 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી: યુક્રેન યુદ્ધ અને રેડ સી ક્રાઈસીસ કટોકટી ભારતીય નિકાસકારો માટે ખર્ચમાં વધારો કરી રહી છે. ખાસ કરીને દેશની કુલ નિકાસમાં લગભગ 45% યોગદાન આપતા માઈક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગોની નિકાસ માટે મુશ્કેલી વધી છે. નિકાસકારોએ લિકવીડીટીના મોરચે વધુ સમર્થન અને વ્યાજની છૂટમાં વધારો કરવાની માંગ કરી છે.

માલની નિકાસ નાણાકીય વર્ષ 2024 ઘટીને 437 બિલિયન ડોલર થઈ જશે, જે નાણાકીય વર્ષ 2023માં 451 બિલિયન ડોલર હતી. ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડીરેકટર જનરલ ડો. અજય સહાયે જણાવ્યું હતું કે, લિકવીડીટીના મોરચે સરકારને ટેકો જરૂરી છે. નિકાસકારો માટે વ્યાજ સમાનતા યોજનામાં રાહત વધારવાની પણ જરૂર છે. કારણ કે ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે નિકાસકારોને લાંબા સમયથી ફંડની જરૂર છે.

આ યોજના હેઠળ, તમામ એમએસએમઈ નિકાસકારો સિવાય, 410 પસંદ થયેલા ઉત્પાદનોના નિકાસકારોને બેંકો પાસેથી ઓછા વ્યાજ દરે લોન મળે છે. હાલમાં, એમએસએમઈ નિકાસકારોને 3% વ્યાજનો લાભ મળે છે અને નોન-બેંકીંગ નિકાસકારોને 2% વ્યાજનો લાભ મળે છે. આ યોજના 30 જૂન 2024 સુધી જ લાગુ છે.

ડો. સહાયે કહ્યું, ‘અહીં વ્યાજની કિંમત અન્ય દેશો કરતાં ઘણી વધારે છે. એકંદર ક્રેડીટ ખર્ચ તફાવત 5-6 ટકા સુધી છે. તેથી, એમએસએમઈ નિકાસકારો માટે વ્યાજ રાહત 5% અને બાકીના માટે 3% સુધી વધારવાની જરૂર છે.

એફઆઈએમઈ ના સેક્રેટરી જનરલ અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ‘આ સ્કીમ ટેકસટાઈલ અને ગાર્મેન્ટસ, લેધર અને હેન્ડીક્રાફટસ જેવા સેકટર્સમાં ખૂબ જ મદદરૂપ થઈ છે’.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj