વોશિંગ્ટન (અમેરિકા),તા.10
દુનિયાના અનેક દેશોમાં સોમવારે દુર્લભ સુર્યગ્રહણનો નજારો જોવા મળ્યો હતો. આ સમયગાળામાં જયા લોકોમાં સૂર્યગ્રહણ જોવાની ઉત્સુકતા હતી ત્યારે પ્રાણી સંગ્રહાલયમાં જાનવરોના વ્યવહારમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. તેઓ દિવસ ને રાત સમજીને પોતાની ગુફાઓમાં જવા લાગ્યા હતા.
બધા જાનવરો શાંત થઈ ગયા
ટેકસાસના ફોર્ટ વર્થ પ્રાણી સંગ્રહાલયમાં ઉપસ્થિત બધા જાનવરો સૂર્યગ્રહણથી અંધારુ થતા જ શાંત થઈ ગયા હતા. તેમાં ગોરિલા, સિંહ, જિરાફ સહિત અનેક જાનવરો હતા.
પ્રાણી સંગ્રહાલયના જાનવરો શાંત થઈને બંધ દરવાજાની પાછળ જવા લાગ્યા હતા. અહીના પ્રવકતાએ જણાવ્યું હતું કે આવું વર્તન પ્રાણીઓ રાત્રે કરતા હોય છે. તેમણે આગળ જણાવ્યું હતું કે મહત્વની વાત એ છે કે પ્રાણી સંગ્રહાલયના આ જાનવરોમાં બેચેની કે ગભરાટ નહોતો જોવા મળ્યો.
ગ્રહણ પુરું થતા જ પ્રાણીઓ સામાન્ય જોવા મળ્યા
ગ્રહણનો સમયગાળો વીતવાની સાથે જ સ્થિતિ સામાન્ય થઈ ગઈ બધા જાનવરો પોતાની ગતિવિધિમાં વ્યસ્ત થઈ ગયા.
ઉલ્લેખનીય છેકે 2017માં કોલંબિયામાં ગ્રહણ દરમિયાન જાનવરોના વ્યવહારમાં ફેરફારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે 75 ટકા જાનવરોમાં ગ્રહણને પ્રતિક્રિયા જોવા મળી હતી. નાસાએ પણ આ જાનવરોનો અવાજ રેકોર્ડ કરવા ઉપકરણો લગાવ્યા હતા.
ગ્રહણ દરમિયાન થઈ છે ઐતિહાસિક શોધો
ખગોળીય ઘટના દરમિયાન આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતની પુષ્ટિ મે 1919માં થઈ હતી તેના માટે આર્થર એડિંગ્ટન દ્વારા લેવામાં આવેલ એક તસ્વીરની મદદ લેવાઈ હતી. હિલિયમની ખોજ પણ 1866માં સુર્યગ્રહણની રેકોર્ડીંગ દરમિયાન થઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy