નવી દિલ્હી: યુજીસીએ પત્ર લખીને તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો સમક્ષ એક મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે કે પ્રતિબંધ હોવા છતાં વિદ્યાર્થીઓને ઈ-સિગારેટ અને આવી અન્ય પ્રોડકટસ સરળતાથી કેવી રીતે ઉપલબ્ધ છે?
યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવીને ઓચિંતી તપાસ કરવા પણ કહ્યું છે અને વિદ્યાર્થીઓ માટે જાગૃતિ અભિયાન ચલાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
યુજીસીએ કહ્યું છે કે, વિદ્યાર્થીઓને ઈ-સિગારેટના જોખમો વિશે જાણ કરવી જોઈએ અને એ પણ સુનિશ્ચિત કરવું જાઈએ કેમ્પસમાં તેના ઉપયોગની મંજુરી ન હોય દેશની તમામ કોલેજોના કુલપતિઓ અને પ્રિન્સીપાલોને પત્ર લખીને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે.
દેશમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ 2019થી અમલમાં છે અને તે સમયે આ કાયદો લાવવામાં આવ્યો હતો. આ જ અધિનિયમને ટાંકીને, યુજીસીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે ઈ-સિગારેટ અને તેના જેવા ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને જાહેરાત પર પ્રતિબંધ મુકયો છે, પરંતુ તે તેના ધ્યાનમાં આવ્યું છે કે તે ઓનલાઈન સ્ટોર્સ અને સ્થાનિક વિક્રેતાઓ દ્વારા ઉપલબ્ધ છે.
યુજીસીના પત્રની અસર કેવી પડશે?
નિષ્ણાંતો કહે છે કે ઘણા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિદ્યાર્થીઓ માટે ઈ-સિગારેટ અને અન્ય નશો સરળતાથી ઉપલબ્ધ છે. હવે યુજીસીના પત્રમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
એવું નથી કે શૈક્ષણિક સંસ્થાઓને આ અંગે બિલકુલ જાણ નથી, પરંતુ આ મુદ્દે કડક પગલાં લેવાતા નથી. યુજીસીના પત્ર બાદ યુનિવર્સિટી વહીવટીતંત્ર સ્થાનિક પોલીસ સાથે વાત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે તેવી અપેક્ષા રાખવી જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy