♦ પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન આ ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકી છે
લખનૌ, તા 25
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) એ બુધવારે લખનૌ, પ્રયાગરાજ, લોઈડા, દિલ્હી અને ગુરુગ્રામ (હરિયાણા)માં સ્થિત તુલસીયાની ગ્રુપના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ રિયલ એસ્ટેટ કંપની પર બેંકો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
માર્ચ 2023માં હાઈકોર્ટે EDને તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબર 2023માં હાઈકોર્ટે EDની લખનૌ ઝોનલ ઓફિસને તપાસ અંગે પૂછ્યું હતું. હાઈકોર્ટે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે જેલમાં બંધ કંપનીના ડિરેેકટર અનિલ તુલસીયાનીની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી.
હાઈકોર્ટના આદેશ પર, EDએ કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન આ ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકી છે.
ED અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કંપનીના ડિરેક્ટર અનિલ તુલસિયાની અને તેમની પત્ની કવિતા તુલસિયાની પણ ૠજ એક્સપ્રેસ-વે નામની કંપનીમાં ડિરેક્ટર છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ 301 સહર પ્લાઝા લખનૌ માં છે. બંને લાંબા સમયથી આ કંપનીમાં ડિરેેકટર છે અને બંને સંસ્થાઓ વચ્ચે વ્યવહારો છે.
હાલમાં સંગ્રામ સિંહ અને સિદ્ધાર્થ સિંહ પણ આ કંપનીના ડિરેક્ટર છે, જેઓ હરૈયા (બસ્તી)ના ધારાસભ્ય અજય સિંહના ભાઈઓ અને પિતરાઈ ભાઈઓ હોવાનું કહેવાય છે. EDના જણાવ્યા અનુસાર, તેણે ધારાસભ્ય અજય સિંહના કોઈ પણ સ્થળની તપાસ કરી નથી. આ સર્ચ તુલસીયાની બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સની છે. તેને ધારાસભ્ય સાથે કોઈ લેવાદેવા નથી.
બસ્તીની હરૈયા સીટના બીજેપી ધારાસભ્ય અજય સિંહે બુધવારે કહ્યું કે EDની ટીમ બુધવારે તપાસ માટે લખનઉમાં તેમની ઓફિસ પહોંચી, પરંતુ ઓફિસ બંધ હતી. તે પોતે અને તેનો ભાઈ તેની ભત્રીજીના લગ્નને લગતા એક કાર્યક્રમમાં ગયા હતા. અજય સિંહે જણાવ્યું કે તેમની ગોમતી નગરના સહારા પ્લાઝામાં ઓફિસ છે. ધારાસભ્યએ કહ્યું- ’હું કોઈપણ તપાસ માટે તૈયાર છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy