નવી દિલ્હી તા.4
એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી માટે જામીન મળે તેવી શકયતા છે તે વચ્ચે દિલ્હી પોલીસે એક નાટયાત્મક પગલામાં શરાબકાંડમાં આમ આદમી પાર્ટીને કટકીના નાણા પુરા પાડયા હોવાનો દાવો કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે.
એક તરફ સુપ્રીમ કોર્ટ મંગળવારે કેજરીવાલને જામીન આપે તેવી શકયતા છે. તે સમયે જ ઈડીએ આ ધરપકડ કરીને કેજરીવાલના જામીન સામે વધુ એક વિઘ્ન સર્જવા પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
ઈડીએ જણાવ્યું કે કે.કવિથા કે જે હાલ ઈડીની કસ્ટડીમાં છે તેની સૂચનાથી 8 જુલાઈ 2023ના દિનેશ અરોડા પાસેથી બે ભારે બેગ જેમાં નાણા ભર્યા હતા તે મેળવી હતી અને તે વિનોદ ચૌહાણને સોંપી હતી અને બીજી વખત પણ આ જ પ્રમાણે નાણા મેળવીને તે આમ આદમીપાર્ટીના ગોવા ખાતેના પ્રચાર માટે હવાલાથી ટ્રાન્સફર કર્યા હતા.
આમ એન્ફોર્સમેન્ટ વિભાગે કેજરીવાલને મંગળવારે જામીન ન મળે તે માટે હવે આ કહેવાતા વચેટીયાની માહિતી સુપ્રીમ સમક્ષ રજુ કરે તેવી ધારણા છે અને તે રીતે આમ આદમી પાર્ટીને પણ આ કેસમાં આરોપી બનાવી શકે છે. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને ચુંટણી પ્રચાર માટે જામીન આપવા તે જઈ રહી છે તેવું જણાવીને ઈડીને જો કાંઈ પ્રશ્ન હોય તો તે રજુ કરવા જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy