લખનઉ,તા.17
લોકસભા ચુંટણીમાં ઉતરપ્રદેશમાં સમાજવાદી પક્ષના જુનીયર પાર્ટી તરીકે રાજયમાં 17 બેઠક લડી રહેલી કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આગામી ચુંટણી અંગે અનુમાન કરતા કહ્યું કે એક સમયે મને એવું હતું કે ભાજપને 180 બેઠક મળશે પણ જે રીતે વાતાવરણ બની રહ્યું છે તેથી 150 બેઠકો પર ભાજપ સમેટાઈ જશે.
આજે તેઓએ અખિલેશ યાદવ સાથે ગાઝીયાબાદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને એ દરમ્યાન દાવો કર્યો કે ઈન્ડિયા ગઠબંધનની છુપી લહેર છે અને ભાજપ 150 સુધી સમેટાઈ જશે.
જો કે તેઓએ પોતે અગાઉ એક ઝટકામાં ગરીબી દુર કરવા અંગેના વિધાનોમાં ફેરવીને તોડતા કહ્યું કે મે એવુ કહ્યું નથી પરંતુ અમારી પાસે ફોર્મ્યુલા છે. જેથી દેશમાં ગરીબી અને અસમાનતા દુર થઈ શકે છે.
તેમણે વડાપ્રધાન પર નિશાન તાકતા કહ્યું કે, તેણે દેશના સંસાધનો 25-30 લોકોને સોંપી દીધા છે. ભાજપ સંવિધાન ખત્મ કરવા માંગે છે. તેમણે સમાજવાદી પક્ષ સાથે જોડાણ અંગે કહ્યું કે એકપણ મત વહેંચાઈ જાય નહી તે અમો જોવા માંગીએ છીએ.
અમેઠીમાં ચુંટણી લડવા અંગે રાહુલ એ ફોડ ન પાડયો
લખનઉ તા.17
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની પરંપરાગત અમેઠી બેઠક પર ગત ચુંટણીમાં પરાજય થયા બાદ હવે વાયનાડમાં બીજી વખત ચુંટાવા માટે ઉમેદવારી કરી છે તે સમયે અમેઠી બેઠક પર તેઓ ફરી ચુંટણી લડશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે, પક્ષ આદેશ આપશે તેમ હું કરીશ. હાલમાં જ રાહુલ ગાંધીના જીજાજી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ અમેઠી બેઠક લડવા માટે દાવો કર્યો હતો. જો કે કોંગ્રેસે હજુ તે મુદે કોઈ ફોડ પાડયો નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy