નવી દિલ્હી: દેશમાં ડુંગળીના ભાવ વધતા લાદવામાં આવેલી નિકાસબંધી ઉઠાવી લેવામાં આવી છે પણ સાથોસાથ નિકાસ પર 40% નિકાસ જકાત પણ લાદવામાં આવી છે અને વ્યાપારી વર્ગ માટે નિકાસ માટે લઘુતમ ભાવ નિશ્ચિત કર્યા છે અને 550 ડોલર પ્રતિ ટનના ભાવથી ઓછા ભાવમાં નિકાસ કરી શકાશે નહી.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ડુંગળી ઉત્પાદન ક્ષેત્રમાં હવે મતદાન યોજાવાનું છે અને આ નિકાસબંધી ઉઠાવી લેવાથી વિદેશમાં ડુંગળીની નિકાસ થઈ શકશે જેમાં ઉંચા ભાવ નિશ્ચિત કરાયા છે પણ તેના કારણે ઘરઆંગણે ડુંગળીના ભાવમાં વધારો થશે.
મહારાષ્ટ્રના ખેડુતોમાં નિકાસ બંધી અને છૂટની રમતમાં તેના ઉત્પાદનોના યોગ્ય ભાવ મેળવી શકાતા નથી. ડુંગળીએ દેશના રાજકારણમાં અનેક વખત વિલનની ભૂમિકા પણ ભજવે છે. 1940માં ચુંટણીને ઈન્દીરા ગાંધીએ ડુંગળી ઈલેકશન તરીકે ગણાવી હતી અને ડુંગળીના ભાવમાં કિલોએ રૂા.6નો વધારો થતા તે મુદો ઉઠાવી ઈન્દીરાએ જીત મેળવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy