થિરૂવંતપુરમ, તા. 17
લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત દક્ષિણ ભારતમાં જબરી તાકાત લગાવી છે અને તામિલનાડુથી કેરળ સુધી પક્ષ દ્વારા ખાતુ ખોલવાની પણ તૈયારી સાથે પ્રચાર ચાલુ કર્યો હતો. પરંતુ કેરળમાં ભાજપને ફરી એક વખત પછડાટ ખાવી પડે તેવા સંકેત છે.
આ રાજયમાં લોકો મોદીને પસંદ કરે છે. પરંતુ ચૂંટણીમાં મત તો ડાબેરી પક્ષો અને કોંગ્રેસને આપતા હોવાનું એક સર્વેમાં જણાયું છે. બીજા તબકકામાં તા. 26 એપ્રિલે કેરળની તમામ 20 બેઠક પર મતદાન થશે.
જેમાં સર્વે પ્રમાણે યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ કે જેમાં કોંગ્રેસ મુખ્ય રાજકીય પક્ષે તેને 15 બેઠકો ચૂંટણી લડી છે અને તે 10 થી 12 બેઠકો જીતી જાય તેવી શકયતા છે. જયારે ફ્રન્ટને 18 થી 19 બેઠકો મળશે. થિરૂવંતપુરમ બેઠકમાં શશી થરૂર સામે ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ શશી થરૂર થોડા મુકાબલા બાદ પણ જીતી જશે તેવું માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy