નવી દિલ્હી, તા.6
કેન્દ્રીય સરંક્ષણ મંત્રી રાજનાથસિંઘ દ્વારા દેશની સરહદો સુરક્ષિત હોવાનું અને પાકિસ્તાન કબ્જાનું કાશ્મીર ભારતનું જ હોવાનું તથા કોઇ પાડોશી દેશ જો દુસાહસ કરે તો તેને ભરી પીવાશે તેવા વિધાનો પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વિવાદાસ્પદ વિધાનો આપ્યા છે.
ક્હ્યું હતું કે પાકિસ્તાને પણ બંગડી પહેરી નથી અને તે ભારત પર અણુ બોમ્બ ફેંકી દેશે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીસભાને સંબોધતા રાજનાથસિંઘએ પાક કબ્જાના કાશ્મીરને ભારતનો જ પ્રદેશ ગણાવ્યો હતો પરંતુ ફારૂક અબ્દુલ્લાને તે માફક આવ્યું નહીં.
ભારતને વળતી ધમકી આપી હતી અને કહ્યું કે રક્ષામંત્રી જો કહે છે કે જો પાક કબ્જાનું કાશ્મીર ભારતનું છે તો તેને પરત લેતા કોણ રોકે છે? પરંતુ એ યાદ રાખવું જોઇએ કે પાકિસ્તાને પણ બંગડી પહેરી નથી અને તેની પાસે પણ અણુબોમ્બ છે અને કમનશીબે તે આપણા ઉપર જ ઝીંકશે.
ચૂંટણીમાં આ રીતે પૂર્વ મુખ્યમંત્રીએ કરેલા વિધાનોનો આકરો પડઘો પડશે તેવા સંકેત છે. આ રીતે તેઓએ પાકિસ્તાન પ્રત્યેનો તેનો પ્રેમ પણ દર્શાવવાની કૌશિષ કરી હતી. તેઓ અગાઉ આ પ્રકારના વિવાદી વિધાની કરી ચૂક્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy