નવી દિલ્હી તા.14
છેલ્લા કેટલાક સમયથી દેશમાં આગના બનાવો વધી ગયા છે. દિલ્હીમાં આગના કારણે બે ઈમારતો જમીન દોસ્ત થઈ હતી. આગના આ બનાવમાં 60થી વધુ દુકાનો ખાખ થઈ ગઈ હતી.
ચાંદની ચોકના નવી સડક વિસ્તારમાં કટરા મારવાડીમાં ગુરુવારે સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે પુરી બજારમાં અફડાતફડી મચી હતી. ભીડવાળા આખા વિસ્તારને ખાલી કરાવાયો હતો. જોતજોતામાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બે ઈમારતોને આગે ઝપટમાં લઈ લીધી હતી.
દુકાનદારોએ કોઈપણ રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. શરૂઆતમાં ફાયરબ્રિગેડની 14 ગાડીઓ પહોંચી હતી. બાદમાં બગડતી હાલતથી 50 ગાડીઓ મોકલાઈ હતી. આગ પર કાબુ મેળવવા દરમિયાન બે માળની બે ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડના 250થી વધુ જવાનો અને અધિકારીઓએ આગને કાબુમાં લેવામાં લાગ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy